મહાપુરુષ શ્રી અચ્યુતાનંદદાસજી તથા મહાપુરુષ શ્રી શિશુઅનંતદાસજી દ્વારા ભવિષ્ય માલિકા માં પ્રભુ ના ધરાવતરણ ના સંબંધ માં લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-
“कली थाउ-थाउ सत्य केहुदिन हेबो केहीण जाणबीर,
एणूकरी मोरो अंतना पाईबे नाथीबारु अधिकार।”
“કલી થાઉ-થાઉ સત્ય કેહુદીન હેબો કેહીણ જાણબીર, એણુકરી મોરો અંતના પાઈબે નાથીબારુ અધિકાર.”
અર્થાત –
કળિયુગ ના અંત સમય માં એટલે કે મધ્ય-કળિયુગ માં જ ધીરે ધીરે સત્યયુગનું આગમન થવા લાગશે. પરંતુ આ દિવ્ય પરિવર્તન ને બધા નહિ સમજી શકે. લોકો દ્વારા યુગ અંત ના વિષય માં ચર્ચા કરતા કરતા જ કળિયુગ સમાપ્ત થઇ જશે. “હું આવી ચુક્યો છું તથા મારા આગમન અને હું કઈ રીતે પૃથ્વી પર ધર્મ સંસ્થાપના કાર્ય પૂર્ણ કરીશ તથા મારા ભક્તો નો ઉદ્ધાર કઈ રીતે કરીશ એ ગુપ્ત વાત નો લોકો ને અંદાજ પણ નહિ આવી શકે.
લોકો પોતાના જ્ઞાન અને તર્કો માં જ ફસાયેલા રહેશે પણ મારો પાર કોઈ નહિ પામી શકે. અધિકાંશ એ લોકો જે ધન વૈભવ માટે મનુષ્ય સમાજ માં ધર્મ નો વ્યવસાય કરી રહ્યા છે, જે ધર્મ ને ઢાલ બનાવીને પોતાના પરિવાર ના આનંદ ઉલ્લાસ માટે ધન એકત્રિત કરી રહ્યા છે એવા અધર્મી મનુષ્યો ને ધર્મ કાર્ય, ધર્મ સંસ્થાપના તથા મારા ધરાવતરણ ના વિષય માં જાણવાનો કોઈ જ અધિકાર નથી. “
પક્ષીરાજ ગરુડ ભગવાન ને પુનઃ પ્રશ્ન કરે છે…
હે જગતના સ્વામી મહાપ્રભુ કળિયુગનો અંત ક્યારે થશે? તથા મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર આપ નું ધરાવતરણ ક્યારે થશે? અને ભક્તો નો ઉદ્ધાર કઈ રીતે થશે? એ કૃપા કરીને મને દર્શાવો.
ચક્રધર કમલનયન ભગવાન મહાવિષ્ણુ પક્ષીરાજ ગરુડ ના બધા પ્રશ્નો નો ઉતર આપતા કહે છે…
સાંભળ ગરુડ, કળિયુગ ના અંતિમ સમય માં પાંચ હજાર વર્ષ વીત્યા બાદ ચંદ્ર ની અડોઅડ એક તારો ઉદય થશે. (વર્ષ ૨૦૦૫ માં ચંદ્ર ની નજીક એક તારો આકાશ માં નરી આંખે લોકો એ લગભગ 2 મહિના સુધી જોયો હતો.) જ્યારે જગન્નાથ ક્ષેત્ર પૂરી ના રાજા જેમને આજ “મહારાજ દિવ્ય સિંહ દેવ ચતુર્થ” ના નામે જાણવામાં આવે છે એમના ૪૭ વર્ષ પુરા થશે ત્યારે હું ભક્તો ના ઉદ્ધાર માટે ધરાવતરણ કરીશ. ભવિષ્ય માલિકા માં આ વિષય માં સ્પષ્ટરૂપે વર્ણન છે.
પક્ષીરાજ ગરુડ એક વાર ફરી શ્રી ભગવાન ને પ્રશ્ન કરે છે કે હે જગત ના તારણહાર પ્રભુ ભક્તો ને આપ ના વિષે કઈ રીતે ખબર પડશે એ સંદર્ભ માં કૃપા કરીને મારું માર્ગદર્શન કરો.
ત્યારે એક બખત ફરી દીનાનાથ ભગવાન શ્રી હરી ગંભીર સ્વરમાં ગરુડજી ના પ્રશ્ન નો ઉતર આપતા કહે છે…
હે ગરુડ, આ ગુઢ રહસ્ય ને કળિયુગ ની ભીષણ જ્વાળા માં સળગી રહેલા સર્વ મનુષ્યો નહિ સમજી શકે. સુખ, સંભોગ અને ધનના ઉપાર્જન માં જ માત્ર જે મનુષ્યો ડૂબેલા રહેશે એ મારો પાર નહિ પામી શકે કારણ કે એ લોકો મારા વિષે જાણવાના અધિકારી નથી. એ લોકો મારા વૈકુંઠ (ગૌલોક) ના નિવાસી નહિ હોય. પૂર્વ ના ત્રણેય યુગો થી જે વૈકુંઠ ના નિવાસી હશે, જે દેવતા, યક્ષ અથવા ગંધર્વો પૈકી એક હશે એ જ ભક્તો ને ભવિષ્યમાલિકા ના પ્રચાર ના માધ્યમ થી મારા ધરાવતરણ ની સુચના પ્રાપ્ત થશે. અને એ જ લોકો ધર્મ સંસ્થાપના માં મારો સાથ આપશે.
આ પ્રકારે ભગવાન દ્વારા બતાવાયેલી તથા ભવિષ્ય માલિકા માં વર્ણિત નિશાનીઓ ચંદ્ર પાસે ઉદય થયેલા તારા રૂપે તથા રાજા દિવ્યસિંહ દેવ ના ૪૭ અંક રૂપે ૨૦૦૫ માં જ પૂર્ણ થઇ ચુકી છે અને વર્તમાનમાં ભગવાન મહાવિષ્ણુ શ્રી કલ્કિ નું ધરાવતરણ પણ થઇ ચુક્યું છે.
પંચસખાઓમાં થી એક મહાપુરુષ શિશુઅનંતદાસજી દ્વારા ભગવાનના ધરાવતરણના સંદર્ભમાં લખાયેલી વધુ એક નિશાની આ પ્રમાણે છે…
“कर जोड़ी बोले बारंग भगत शेखर मुकुट मणि,
बेलकला जाणी कलपतरुरे गरल फलिबे पुनि,
एण पराएक होइबो बारंग रस मधुरो लागिबे,
आदोरे भकईबे कलीजुगे नरे भकी भस्म होइजिबे।”
“કર જોડી બોલે બારંગ ભગત શેખર મુકુટ મણી, બેલકલા જાણી કલપતરુંરે ગરલ ફલીબે પુની, એણ પરાએક હોઈબો બારંગ રસ મધુરો લાગીબે, આદોરે ભકઈબે કલીજુગે નરે ભકી ભસ્મ હોઈજીબે.”
અર્થાત-
કળિયુગ અંત તથા પ્રભુ ના ધરાવતરણ ના સમયે એક સંકેત આ પ્રમાણે પણ મળશે. લીમડા ના વૃક્ષ માં થી સફેદ દૂધ જેવો તરલ પદાર્થ નીકળશે અને એનો સ્વાદ મધ ની જેમ મીઠો હશે. લોકો એને ચમત્કાર સમજીને એ રસ નું સેવન કરશે તથા એ વૃક્ષ ની પૂજા પણ કરશે. એવા લોકો ની ધર્મ સંસ્થાપના દરમ્યાન મૃત્યુ થઇ જશે. આ સંકેત અગાઉ જોવા મળી ગયા છે.
આ સંકેતો પછી કળિયુગ ના અંત માં પ્રભુ ના ધરાવતરણ ની વાત ભવિષ્ય માલિકા તથા અન્ય શાસ્ત્રો માં કહેવામાં આવી છે. વર્તમાન માં આ બધા સંકેતો પૂર્ણ થઇ ચુક્યા છે તથા ધર્મ સંસ્થાપના માટે ભગવાન શ્રી કલ્કિ નું ધરાવતરણ પણ થઇ ચુક્યું છે. હાલ ધર્મ સંસ્થાપના તથા વિનાશલીલા નું કાર્ય પણ ચાલી રહ્યું છે જેના સ્પષ્ટ સંકેતો વૈશ્વિક સ્તર પર પણ જોઈ શકાય છે.
“જય જગન્નાથ”