પંચ સખાઓ દ્વારા લખાયેલા ભવિષ્ય માલિકા ગ્રંથ મુજબ કળિયુગમાં આ ધરા ધામમાં ભગવાનના ત્રણ અવતાર થશે. મહાપુરુષ અચ્યુતાનંદજીએ “જાઈ ફૂલ માલિકા” પુસ્તકમાં લખ્યું છે:-
“कलि रे तीनि जन्म, हेबे परा प्रभु श्री नारायण, जाई फूल लो,
जाई फूल लो, से तो भक्त जिब जीबन जाई फूल लो”
“કલી રે તીની જન્મ, હેબે પરા પ્રભુ શ્રી નારાયણ, જાઈ ફૂલ લો,
જાઈ ફૂલ લો, સે તો ભક્ત જીબ જીબન જાઈ ફૂલ લો”
અર્થાત:-
કળિયુગમાં, ભક્તોના પ્રાણનાથ, પ્રભુ શ્રી નારાયણ, પૃથ્વી પર ત્રણ વખત અવતાર લેશે.
કળિયુગમાં ભગવાનનો પ્રથમ અવતાર – ભગવાન બુદ્ધ
“ભવિષ્ય માલિકા” અનુસાર, કળિયુગના મધ્ય ભાગમાં, ભગવાન બુદ્ધ અવતાર લેશે. ભક્ત કવિ જયદેવે પણ તેમની દશાવતાર સ્તુતિમાં આ સંદર્ભે બુદ્ધ અવતારનું વર્ણન કર્યું છે.
“निन्दसि यज्ञविधेरहहश्रुतिजातं सदयहृदय दर्शितपशुघातम् ।
केशव धृत बुद्ध शरीर जय जगदीश हरे ।”
“નિન્દસી યજ્ઞવિધેરહહશ્રુતિજાતં સદયહૃદય દર્શિતપશુઘાતમ્.
કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે.”
ઉપરોક્ત શ્લોક સાબિત કરે છે કે કળિયુગના મધ્યમાં યજ્ઞમાં મોટી સંખ્યામાં જીવિત પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી અને મંત્ર અને તંત્ર પદ્ધતિના પ્રભાવથી પ્રાણીઓની હત્યા ચરમસીમાએ હતી. સનાતન ધર્મના સિદ્ધાંતો લગભગ લુપ્ત થઈ ગયા હતા. તે સમયે ભગવાનના અંશ રૂપે બુદ્ધ, ધરા ધામમાં અવતર્યા અને પશુબલિ અને પશુ હત્યાનો વિરોધ કરીને સનાતન ધર્મની પુનઃ સ્થાપના કરી.
“ततः कलौ सम्प्रवृत्ते सम्मोहाय सुरद्विषाम्।
बुद्धो नाम्नाजनसुतः कीकटेषु भविष्यति” ।
“તત: કલૌ સમ્પ્રવૃતે સમ્મોહાય સુરદ્વિષામ.
બુદ્ધો નામ્નાજનસુત: કીકટેષુ ભવિષ્યતિ.”
અર્થાત:-
જ્યારે રાજા-મહારાજા, પ્રજા બધા સંપૂર્ણપણે અન્યાય, અનીતિ અને જીવોની હત્યાના પાપોમાં લીન હતા, ત્યારે ભગવાને તે બધાને ધર્માંતરિત કરવા અને સાચા સનાતન ધર્મની સ્થાપના કરવા કીકટના પ્રદેશમાં બુદ્ધ તરીકે અવતાર લીધો.
કળિયુગમાં ભગવાનનો બીજો અવતાર – ભગવાન ચૈતન્ય
કળિયુગમાં બીજા અવતાર તરીકે, ભગવાને શ્રી ચૈતન્યના નામથી નદિયા નવદ્વીપમાં જન્મ લીધો અને સમગ્ર વિશ્વમાં ભગવાન વિષ્ણુના મહામંત્રનો પ્રચાર કર્યો. પ્રાણીઓની હત્યાનો વિરોધ કરવાની સાથે ધરા ધામમાં વૈષ્ણવ ધર્મને પુનર્જીવિત કર્યો.
“कृष्णार प्रघता त्रिगुट प्रकार,
शास्त्रर श्रीमूर्ति आर भक्त कालेबर।”
“કૃષ્ણર પ્રઘતા ત્રિગુટ પ્રકાર,
શાસ્ત્રર શ્રીમૂર્તિ આર ભક્ત કાલેબર.”
અર્થાત:-
ભગવાન ચૈતન્યએ નામ સંકીર્તનનો મહિમા પ્રચાર કર્યો અને અહિંસાના ધર્મનો ઉપદેશ આપ્યો, તેમજ ભક્તિ અને પ્રેમ દ્વારા ભગવાન સુધી પહોંચવાનો એક વિશિષ્ટ અને સ્વતંત્ર માર્ગ બતાવ્યો. વાસ્તવમાં, તેમનો આ ઉપદેશ મૂર્તિપૂજા, શ્રીમદ ભાગવત પાઠ અને ભક્તિનો સાર છે.
કળિયુગમાં ભગવાનનો ત્રીજો અવતાર – ભગવાન કલ્કિ
“ભવિષ્ય માલિકા” અને વિવિધ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે “કળિયુગના 5000 વર્ષ પછી, ભગવાન કલ્કિ આ ધરા ધામમાં અવતરશે”. કળિયુગ નું અત્યારે 5125 મુ વર્ષ ચાલી રહ્યું છે. આ મહત્વની હકીકતના આધારે આપણે સમજવું પડશે કે કળિયુગ પૂરો થઈ ગયો છે. હવે માનવ સમાજ સંગમ યુગમાં જીવી રહ્યો છે. માનવ સમાજ ટૂંક સમયમાં ધર્મની પુનઃસ્થાપના જોશે.
“अथसु जुगसंध्यांसे दस्यु प्रयासेषु राजसु।
जनिता विष्णु यशो नमना कल्कि जगतपति”।
“અથસુ જુગસંધ્યાસે દસ્યુ પ્રયાસેષુ રાજસુ.
જનિતા વિષ્ણુ યશો નમના કલ્કિ જગતપતિ”.
અર્થાત:-
જ્યારે કળિયુગનો સંધ્યા સમય હશે, ત્યારે ભગવાન કલ્કિ ભગવાન વિષ્ણુની સ્તુતિ ગાતા વૈષ્ણવ બ્રાહ્મણના પુત્ર તરીકે જન્મ લેશે.
“संबल ग्राम मुख्यस्य ब्राह्मन्यस्य महात्मन ।
भबने विष्णु जशश्य कल्कि प्रादुर्भाबिश्यती ।।”
“સંબલ ગ્રામ મુખ્યસ્ય બ્રાહ્મણ્યસ્ય મહાત્મન.
ભબને વિષ્ણુ જશશ્ય કલ્કિ પ્રાદુર્ભાબીષ્યતિ । ,
અર્થાત:-
ભગવાન કલ્કિ સંબલ ગામના મુખ્ય બ્રાહ્મણના ઘરે જન્મ લેશે, જે ભગવાન વિષ્ણુના ગુણગાન કરતા હશે. પાપીઓ અને મલેચ્છોનો નાશ કરવા ભગવાન ધરા ધામમાં માનવ શરીરમાં અવતાર લેશે.
“જય જગન્નાથ”