ગામડાં અને શહેરોમાંથી ભક્તો એકત્રિત થશે.
મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“भकत मोधन, भकत जीबन, भकत मोगला हार,
भकतंक पाईं, कलिजुग शेसे, हेबि कल्कि अबतार।”
“ભકત મોધન, ભકત જીબન, ભકત મોગલા હાર, ભકતંક પાઈ, કલિજુગે શેસે, હેબિ કલ્કિ અબતાર.”
અર્થ –
ભગવાન મહાવિષ્ણુ દ્વારા કહેલા કથનને મહાપુરુષ માલિકામાં આ પ્રકારે લખે છે કે મારા ભક્તો જ મારુ ધન છે, મારા ભક્તો જ મારુ જીવન છે, મારા ભક્તો જ મારા ગળાનો હાર એટલે કે મારુ સર્વસ્વ છે. ફક્ત ભક્તોના ઉદ્ધાર માટે જ હું કળિયુગના અંતિમ સમયમાં ઓડિશાની પવિત્ર ભૂમિ પર કલ્કિ અવતાર ધારણ કરીશ.
“भक्त उदय होईबे गाँव-गांव भूली मेली करिबेसे।”
“ભક્ત ઉદય હોઈબે ગાંવ-ગાંવ ભૂલી મેલી કરીબેસે.”
અર્થ –
દરેક ગામ અને શહેરમાં વિશ્વભરના તમામ ભક્તોનો મેળાવડો થશે. દરેક યુગના અંતમાં, ધર્મની સ્થાપના સમયે, જે પ્રભુના ભક્ત છે એવા પવિત્ર ભક્તો એકત્રિત થાય છે.
મહાપુરુષ ફરીથી માલિકા માં લખે છે–
“तर्कितिबु तेरकु चाऊदह पन्द्र लागिब हुन्दर सता कुजीबु सतरु।”
“તર્કીતિબુ તેરકુ ચાઉદહ પન્દ્ર લાગિબ હુંદર સતા કુજીબુ સતરૂ.”
અર્થ –
ભગવાન કલ્કિ જ્યારે તેર વર્ષના થશે ત્યારે આખી દુનિયા ચમકી ઉઠશે. દરેકના મનમાં એક જ પ્રશ્ન આવશે કે આખરે આ શું થઈ રહ્યું છે, જેનો કોઈ ઉકેલ કે નિદાન નથી. બધા ડરી જશે, બધે ભયનું વાતાવરણ હશે, જે આપણે સૌએ વર્ષ 2020 માં પોતાની આંખે જોયું. તે પછી દર વર્ષે એક યા બીજી અપ્રિય ઘટનાઓ શરૂ થઈ અને ભવિષ્યમાં પણ એક પછી એક અપ્રિય ઘટનાઓ બનતી રહેશે.
જેઓ વિચારે છે કે આફત ટળી ગઈ છે, એ તેમની ભૂલ છે. વિનાશનું આ કાર્ય કોઈ ને કોઈ સ્વરૂપે ચાલુ રહેશે. ફક્ત ભક્તગણ જ આ ગુઢ રહસ્યો ને સમજી શકશે કે ભગવાને અવતાર લઇ લીધો છે. જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તે ભગવાનની વિનાશલીલા અને ધર્મની સ્થાપનાનો એક ભાગ છે.
સમગ્ર વિશ્વના ભક્તોના ઉદ્ધાર માટે, ભગવાનના અવતરણની સૂચના પહુંચાડવા માટે કેવી રીતે ભક્તો એકઠા થશે અને કેવી રીતે ધર્મની સ્થાપનાનું કાર્ય થશે? લગભગ 600 વર્ષ પહેલાં, ભગવાનના ભક્તો સુધી આ માહિતી પહોંચાડવા માટે, શ્રી ભગવાનના આદેશથી ભવિષ્ય માલિકા ગ્રંથની રચના કરવામાં આવી હતી.
વિશ્વના અન્ય કોઈ ગ્રંથમાં કળિયુગના અંત અને ધર્મની સ્થાપના વિશે આવા સ્પષ્ટ શબ્દોમાં વાત કરવામાં આવી નથી. સમયનું મહત્વ જાણીને તમામ ભક્તોએ સનાતન ધર્મ અપનાવવો જોઈએ અને વહેલામાં વહેલી તકે ધર્મના માર્ગે આવવું જોઈએ.
જ્યાં સુધી ભક્તોને એકઠા કરવાનું કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ખંડ-પ્રલય ધીરે ધીરે ચાલુ રહેશે. એકત્રિકરણનું કાર્ય 2023 સુધીમાં પૂર્ણ થયા પછી, મનુષ્યો પોતાની આંખોથી ભગવાન કલ્કિની વિનાશ લીલા, વિશ્વયુદ્ધની ભયાનક આપત્તિઓ અને પંચભૂત પ્રલયના ભયાનક દ્રશ્યો જોશે.
મહાપુરુષ અચ્યુતાનંદજી ફરી લખે છે–
“संसार सहमय अति मायामय सहमय कुपूजा,
करह कर्मवामो हेले संज्ञाहीन हेबु नरहिब,
थलकुल भारण वेहलकु बिहन बाँटिबी चिन्ही,
नपारिबे केहिबी लख्य पंचासी ग्रंथ बुझाईबी संभलरे उदय होईबी।”
“સંસાર સહમય અતિ માયામય સહમય કુપૂજા, કરહ કર્મવામો હેલે સંજ્ઞાહીન હેબુ નરહિબ, થલકુલ ભારણ વેહલકુ બિહન બાંટીબી ચિન્હી, નપારીબે કેહિબી લખ્ય પંચાસી ગ્રંથ બુઝાઈબી સંભલરે ઉદય હોઈબી.”
અર્થ –
આ જગત માયામય છે. જો માયાને કારણે ભક્તોની બુદ્ધિ ભ્રમિત થશે તો તેઓ અંતિમ સમયે ભગવાનને પામવાને બદલે મૃત્યુના ચક્કરમાં પડી જશે. તેથી જ વિશ્વના તમામ ભક્તોએ સમયની ગંભીરતાને સમજવી જોઈએ અને તેમની દરેક ક્ષણ ભગવાનની ભક્તિમાં વિતાવી જોઈએ. જ્યારે આવો સમય ચાલતો હોય ત્યારે માલિકાનો અવાજ કોઈ પણ રીતે આશ્ચર્યની જેમ ભક્તો સુધી પહોંચશે અને માલિકાને સાંભળ્યા પછી તેમના મનમાં એક આવેગ પેદા થશે. જેઓ આ માલિકા પર વિશ્વાસ કરે છે તેઓ ભગવાનની શરણમાં પહોંચી જશે. સત્યયુગ જોઈ શકશે.
“જય જગન્નાથ”