મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-
માનવ શરીર માં શ્રી ભગવાન ના આગમન ના વિષય માં બધા ને જ્ઞાત નહિ હોય. અર્થાત કળિયુગના અંત માં જે લોકો ભવિષ્ય માલિકા ગ્રંથ માં વિશ્વાસ રાખે છે અને ભવિષ્ય માલિકા નું અનુસરણ કરે છે એ લોકો જ ભગવાન ના ભક્તો હશે.
આગળ અચ્યુતાનંદજી ભવિષ્ય માલિકા માં લખે છે…
“कृष्ण भाबरस नोहे वेदाभ्यास पूर्व जार भाग्य थिबा।”
“કૃષ્ણ ભાબરસ નોહે વેદાભ્યાસ પૂર્વ જાર ભાગ્ય થિબા.”
અર્થાત-
માનવ શરીર માં શ્રી ભગવાન ના દર્શન એમને જ પ્રાપ્ત થશે જે પૂર્વ જન્મ માં પ્રભુ ના ભક્ત હશે અને એમના હૃદય કૃષ્ણરસ થી ભરપુર હશે. વેદાભ્યાસ કરવા વાળા, મહંતો, પીઠાધીશો અને સંન્યાસીઓ ને પણ ભગવાન ના દર્શન સુલભ નહિ હોય.
આગળ અચ્યુતાનંદજી ભવિષ્ય માલિકા માં લખે છે…
જે સ્વયં વેદ શાસ્ત્રો અથવા અષ્ટાદશ પુરાણો ના જ્ઞાતા તથા સ્વયં ને વિદ્વાન સમજવા વાળા તથા લાખો શિષ્યો બનાવવા વાળા હશે એમને પણ શ્રી ભગવાન ના દર્શન નહિ પ્રાપ્ત થાય. એ વાત ની પુષ્ટિ મહાપુરુષ અચ્યુતાનંદ કરે છે કે જે ભક્ત પૂર્વ જન્મો ના સંસ્કારો થી સંપન્ન હશે અને ભગવાન ના સાચા ભક્ત હશે એમને જ શ્રી કલ્કિદેવ પ્રભુ ના દર્શન થશે.
સત્યયુગમાં યતી (ઋષિ મુની), ત્રેતાયુગ માં કપિ (વાનર, રીંછ આદિ), દ્વાપરયુગ માં યદુવંશી, ગોપાળો, ગોપીઓ તથા કળિયુગમાં જે ભક્તો છે આ ચારેય યુગ ના ભક્તો વાસ્તવ માં એક જ છે. એ જ ભક્તો પુનઃ પુનઃ પ્રભુ ની સાથે પૃથ્વી પર આવે છે. આ ચાર યુગ ના ભક્તો ને વર્તમાન ધર્મ શાસ્ત્રો નું જ્ઞાન હોય કે નહિ હોય તો પણ એ ભક્તો પ્રભુ ની સાથે સત્યયુગમાં જશે કારણ કે વ્યતીત યુગ ના યતી, કપિ, ગોપી અને ભક્તો જ ભગવાન ના શરણ માં આવશે.
तारो ताको माया झाकी यह माया, तारो ताको काया झाकी यह माया, निश्चय वासना वसीब।
તારો તાકો માયા ઝાકી યહ માયા, તારો તાકો કાયા ઝાકી યહ માયા, નિશ્ચય વાસના વસીબ.
અર્થાત-
જે પૂર્વ જન્મ માં તપી-યતિ, કપિ (વાનર, રીંછ) અને ગોપી હતા એમને જ ભવિષ્ય માલિકા ની વાણી ની સત્યતા પર વિશ્વાસ થશે અર્થાત ભક્તિ અને ઈશ્વર નો સંપૂર્ણ સમર્પણ નો સંદેશ પ્રાપ્ત થશે. એ જ લોકો ભગવાન કલ્કિદેવ ના શરણ માં આવશે. ભારત માં મોટા મોટા સાધુ સંતો હશે પણ એ ભગવાન કલ્કિ ને નહિ મળી શકે. પોતાના જ લાખો ભક્તો હોવાના અભિમાન ના લીધે એમને ભગવાન ની પ્રાપ્તિ નહિ થાય. પરંતુ જેમનું મન નિર્મળ છે, પછી એ ભલે સાવ ગરીબ હશે તો પણ એમના માં નિશ્છલ અને અહંકાર રહિત ભક્તિ હશે, તો એમને શ્રી ભગવાન ની પ્રાપ્તિ થશે. જે લોકો સુધી ભવિષ્ય માલિકા ની વાણી પહોંચશે એ બહુ નસીબવંતા હશે પછી ભલે એ કોઈ પણ માધ્યમ થી હોય.
“જય જગન્નાથ”