મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી અને મહાપુરુષ શ્રી જગન્નાથ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ –
ભવિષ્ય માલિકાના “શ્રી કૃષ્ણ ગરુડ સંવાદ” માં ભગવાનની વાણી – પુરીની પવિત્ર ભૂમિ (શ્રીક્ષેત્ર) માંથી ભક્તો માટે એવા સંકેતો આવશે જેથી કરીને પવિત્ર અને ધર્મનિષ્ઠ ભક્તોને વિશ્વાસ આવશે કે મેં કળિયુગમાં માનવ શરીરમાં અવતાર લઇ લીધો છે.
ગરુડ ફરીથી ભગવાનને પૂછે છે કે હે જગતપિતા, હે સૃષ્ટિના પાલનહાર, કૃપા કરીને મને કહો કે હું બીજા કયા કયા સંકેત જોઈ શકીશ જેથી મને વિશ્વાસ થશે કે તમે શ્રીભગવાનને માનવ શરીર ધારણ કર્યું છે?
ભગવાન કહે છે –
”समुद्र रूबातासोजे उठिन आसीब।
कल्पवट डाल मोर भांगीब पोकाइब।।”
“સમુદ્ર રુબાતાસોજે ઉઠીન આસીબ
કલ્પવટ ડાલ મોર ભાંગીબ પોકાઈબ”
બ્રહ્મ પ્રલય સમયે જે કલ્પવટ ની શાખામાં ભગવાન બાળકના રૂપમાં વિશ્રામ કરે છે, તેની શાખા દરિયાઈ તોફાનને કારણે તૂટી જશે.
“अउ बतासरे चक्र वक्र हेबो निलचक्र मोरो।”
“અઉ બતાસરે ચક્ર વક્ર હેબો નિલચક્ર મોરો”
સમુદ્રમાંથી એક તોફાન આવશે અને તે ભયંકર તોફાનને કારણે સમગ્ર મંદિરની ટોચ વક્ર (વાંકી) થઈ જશે (આ નિશાની વર્ષ – 2019 માં બંગાળની ખાડીમાં આવેલા ભયંકર ચક્રવાત દ્વારા પરિપૂર્ણ થઈ છે અને ઓડિશા સરકાર દ્વારા આ ચક્રવાતની પુષ્ટિ બીજા દિવસે જ થઇ ગઈ હતી. આ સમાચાર ત્યાંના સ્થાનિક ન્યૂઝ ચેનલો અને અખબારોમાં આવ્યા હતા.
ત્યારે ભગવાન ભક્ત ગરુડને કહે છે, ગરુડ જુઓ, જગન્નાથ પુરી (શ્રીક્ષેત્ર) તરફથી એક પછી એક વધુ સંકેતો આવતા રહેશે.
“देउल रचुन छाड़ीब चक्र वक्र होइब।
मालिहा होइब भारत अंक काटाउथिब।।”
“દેઉલ રચુન છાડીબ ચક્ર વક્ર હોઈબ
માલિકા હોઈબ ભારત અંક કાટાઉથિબ”
અર્થ –
મારા શ્રીમંદિર (જગન્નાથ મંદિર) પરથી, કળિયુગની શાસન વ્યવસ્થાના પુરાતત્વ વિભાગ દ્વારા, મંદિરને પ્રાચીન કાળથી દરિયાઈ ખારી હવાથી બચાવવા માટે મંદિરને ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, તે ચૂનાથી આપેલ કોટિંગ દૂર કરવામાં આવશે (આ કામ પુરાતત્વ વિભાગ દ્વારા 1985 પછી જ કરવામા આવ્યું હતું)
“જય જગન્નાથ”