મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા તૃતીય વિશ્વયુદ્ધ તથા તેના પરિણામો વિષે લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
“तोके कहुतुबे जनम हेलेणी दर्शन करीचीमुई।
तोके कहुतुबे जन्म हेबे प्रभु ठार गार बूझो तुहि।।
बुद्धि विवेक को प्रभु हरि नेबे बणा हेबे सुज्ञजण।
अपना हस्तरे स्कन्द छिड़ाइबे मिलिबे देबि भबन।।”
“તોકે કહુતુબે જનમ હેલેણી દર્શન કરીચીમુઈ.
તોકે કહુતુબે જન્મ હેબે પ્રભુ ઠાર ગાર બુઝો તુહી.
બુદ્ધિ વિવેક કો પ્રભુ હરી નેબે બણા હેબે સુજ્ઞજણ.
અપના હસ્તરે સ્કન્દ છીડાઈબે મિલીબે દેબી ભબન.”
અર્થાત –
ઘણા બધા ભક્તો ભગવાન કલ્કિદેવ ના દર્શન કરશે તથા સંસાર ને કહેશે કે મેં વિશ્વાધાર પ્રભુજી ના દર્શન કરી લીધા છે. જયારે ઘણા ભક્તો એવા છે જેઓ જ્ઞાનમાર્ગ ને જ સર્વશ્રેષ્ઠ તથા પોતાને જ શાસ્ત્રો ના જ્ઞાતા તથા સર્વોપરી સમજતા હશે એવા લોકો કહેશે કે હજી પ્રભુ ના ધરાવતરણ નો સમય નથી આવ્યો. હજી કલ્કિ ભગવાન ને આવવામાં ઘણી વાર છે તથા કળિયુગ ની આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ની છે.
જે લોકો જ્ઞાન દ્વારા ભગવાન ને શોધતા હશે તથા તર્કો પર ચાલનારા હશે, જેઓ ને ભવિષ્ય માલિકા વિષે જ્ઞાન નહિ હોય તેઓ પ્રભુ ના અવતાર વિષે માનશે નહિ તથા એમને પોતાના જ્ઞાન નો અહંકાર હશે. આથી એ સમયે દેવી મહામાયા એમની બુદ્ધિ ને હરી લેશે તથા તેઓ ભ્રમિત જ રહેશે.
આવા લોકો મહાપ્રભુ ને નહિ ઓળખી શકે તથા તેમને પુરુષોતમ સ્વરૂપ ના દર્શન નહિ થાય. આવા સ્વયં બની બેઠેલા જ્ઞાનીઓ ને પંચમહાભૂત પ્રલય તથા મહામારી પોતાનો કોળીયો બનાવી લેશે તથા તેઓ સતયુગ માં નહિ જઈ શકે.
ધર્મ સંસ્થાપના સમયે તારણહાર, શરણાગત વત્સલ પ્રભુ ના શ્રી ચરણો માં સ્વયં ને સંપૂર્ણ સમર્પિત કરી દેવું જ એકમાત્ર ઉદ્ધાર નો દ્વાર છે. પ્રભુ ના ધરાવતરણ પશ્ચાત જ્ઞાનમાર્ગ નો ત્યાગ કરીને ભક્તો એ ભક્તિમાર્ગ અપનાવવો જોઈએ કારણ કે એનાથી જ મનુષ્યો ને સંસાર રોગ માં થી મુક્તિ મળશે તથા પરમશાંતિ પ્રાપ્ત થશે.
કળિયુગ ની જ્વાળા માં તપી રહેલા મનુષ્યો ને એક અંતિમ વિકલ્પ ના રૂપ માં સહાયતા હેતુ શ્રી ભગવાન દ્વારા “સુધર્મા મહા મહાસંઘ” નું ગઠન કરવામાં આવ્યું છે તથા એના અનુલક્ષ માં નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. સંપૂર્ણ વિશ્વ માં જેનામાં પણ પ્રભુ નું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાની ઉત્કંઠા જાગશે એ લોકો ખુદ જ પોતાની તથા પોતાના પરિવાર ની સુરક્ષા માટે પ્રભુ દ્વારા ગઠિત નીતિ તથા નિયમો નું પાલન કરતા કરતા પ્રભુ ના શરણ માં આવશે તથા પોતાના માનવ જીવન ને સાકાર કરીને અંત સમય માં પ્રભુ ના પરમ નિવાસ સ્થાન શ્રી વૈકુંઠધામમાં જશે.
જેમ નદીઓ સમુદ્ર માં મળીને એમાં સંપૂર્ણપણે વિલીન થઇ જાય છે એમ આત્મા પરમાત્મા માં સમાઈ જાય તો જ મનુષ્ય જીવન સાર્થક થાય છે. એટલા માટે બધાએ માલિકા પ્રતિ સંપૂર્ણ સમર્પણ કરીને પ્રભુ ઉપર વિશ્વાસ કરવો જ જોઈએ.
“જય જગન્નાથ”