મહાપુરુષ શ્રી અચ્યુતાનંદદાસ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
ભવિષ્ય માલિકા માં ભગવાન મહાવિષ્ણુ તથા માં મહાલક્ષ્મી ના દિવ્ય વસ્ત્રાભૂષણ ના વિષય માં વર્ણિત છે કે દ્વાપર યુગ માં જ ભગવાન શ્રી કૃષ્ણ એ ભવિષ્ય માં આવનારા આદ્યસત્ય યુગ માટે ગુપ્ત રૂપે દિવ્ય વસ્ત્રાભૂષણો ને સુરક્ષિત સ્થાન પર રખાવ્યા હતા.
“लख्मी नारायण श्रीअंग भूषण ग्रहण ग्रंथ सहिते,
बिरजा खेत्ररे स्थापन गुपत तुम्भे देखीबे सख्याते।”
“લક્ષ્મી નારાયણ શ્રીઅંગ ભૂષણ ગ્રહણ ગ્રંથ સહિતે, બીરજા ખેત્રરે સ્થાપન ગુપત તુમ્ભે દેખીબે સખ્યાતે.”
અર્થાત-
માં મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી હરી ના એ જ દિવ્ય વસ્ત્રાભૂષણ જેને દ્વાપરયુગ માં ભગવાન શ્રી કૃષ્ણ એ સુરક્ષિત રખાવ્યા હતા જેને પ્રત્યેક યુગ એટલે કે સતયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગ માં માતા તથા પ્રભુ દ્વારા વિશેષ અવસરો પર ધારણ કરવામાં આવે છે એ જ વસ્ત્રાભૂષણો જયારે જાજનગ્ર માં સુધર્મા સભા થશે ત્યારે એ સભા માં ભગવાન કલ્કિ તથા માતા ધારણ કરશે તથા સુધર્મા સભા માં જે ભકતગણ ઉપસ્થિત હશે એ ભાગ્યશાળી ભક્તો ને અલૌકિક દિવ્ય દર્શન આપશે.
ભગવાન પોતાની લીલા ફક્ત પોતાના પવિત્ર ભક્તો સાથે જ કરે છે. એ પવિત્ર ભક્તો પ્રત્યેક યુગો માં ભગવાન ની સાથે હોય છે. જલ્દી જ આવનારા સમય માં આ બધી દિવ્ય લીલાઓ ભક્તો પોતાની આંખે જોશે અને હર્ષિત થશે.
“જય જગન્નાથ”