મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
“भगत सुमेल होइबे कठुर खंडगिरि पासे जिबे।
अनन्त मूरति दर्शन करीण सर्वे सर्वांकु चिनिभे।।”
“ભગત સુમેલ હોઈબે કઠુર
ખંડગીરી પાસે જીબે.
અનન્ત મુરતિ દર્શન કરીણ
સર્વે સર્વાંકુ ચીનીભે.”
અર્થાત –
એક સમય એવો આવશે જ્યારે શ્રી ભગવાન ના સમસ્ત ભક્તજનો ઓડીશા રાજ્ય ના લિંગરાજ ક્ષેત્ર ની પવિત્ર ભૂમિ (એકામ્ર ક્ષેત્ર) પર એક ખંડગીરી નામે વિખ્યાત પર્વત છે તેની સમીપ એકત્ર થશે તથા ભગવાન અનંત કિશોર એટલે કે પ્રભુ કલ્કિ ના દિવ્ય દર્શન સમગ્ર ભક્તો ને પ્રાપ્ત થશે. અંદરોઅંદર ભક્તો નું અદભુત મિલન થશે. સમગ્ર દેશ તથા વિદેશ ના પણ બધા ભક્તો એકબીજા ને મળશે, પ્રભુ ના દિવ્ય અનુભવો, અનુભૂતિઓ ની ચર્ચા કરશે, એકબીજા સાથે વાર્તાલાપ કરશે તથા ખુબ દિવ્ય તથા આશ્ચર્યમય અનુભવ થશે. બધા ભક્તો આનંદ થી ભરાઈ ઉઠશે.
“જય જગન્નાથ”