ભગવાન વ્યાસજી દ્વારા ભગવાન કલ્કિ ના જન્મ તથા જન્મસ્થાન ના વિષય માં મહાભારત માં લખેલી પંક્તિ તથા તથ્ય-
“संभल ग्राम मुख्यष्य ब्राह्मणस्यो महात्मन,
भवने विष्णु यशस्य कल्कि प्रादुर्भाविष्यति।”
“સંભલ ગ્રામ મુખ્યષ્ય
બ્રાહ્મણસ્યો મહાત્મન,
ભવને વિષ્ણુ યશસ્ય
કલ્કિ પ્રાદુર્ભાવિષ્યતિ.”
અર્થાત–
ભગવાન કલ્કિ સંભલ ગ્રામ ના મુખ્ય બ્રાહ્મણ ના ઘર માં જન્મ લેશે. અર્થાત ભગવાન વિષ્ણુ નું યશગાન કરનારા પવિત્ર બ્રાહ્મણ ના ઘરે ભગવાન કલ્કિ નો જન્મ થશે. વર્તમાન માં મનુષ્યો ના મન માં એક દ્વંદ છે કે ભગવાન કલ્કિ નો જન્મ વિષ્ણુયશ નામક બ્રાહ્મણ ના ઘરે થશે પણ એવું નથી. હકીકત માં આપણે શાસ્ત્રો માં લખેલા તથ્યો ને પુરા અધ્યયનપૂર્વક સમજવાની જરૂર છે. શાસ્ત્રો ને સાચી રીતે સમજવાથી નિદાન મળશે જેના થકી ભક્તિ, પવિત્રતા તથા ભગવાન ની પ્રાપ્તિ થશે.
“कल्कि विष्णुयशा नाम द्विज काल प्रचोदीत ,
उत्पत्येसो महा बिरजो महा बुद्धि पराक्रम।”
“કલ્કિ વિષ્ણુયશા નામ
દ્વિજ કાલ પ્રચોદીત,
ઉત્પત્યેસો મહા બિરજો
મહા બુદ્ધિ પરાક્રમ.”
સંભલ ગ્રામ ના જે બ્રાહ્મણ ના ઘરે ભગવાન વિષ્ણુ નું યશગાન, કીર્તન, ભજન, મનન તથા પૂજા અર્ચના થતી હશે એ બ્રાહ્મણ ના ઘર પર શ્રી ભગવાન જન્મ ધારણ કરશે. ભગવાન કલ્કિ અષ્ટ કલાઓ થી યુક્ત તથા મહાબુદ્ધિ અને મહાપરાક્રમ યુક્ત બનીને ધરાવતરણ કરશે. .
“सम्भूत संभल ग्रामे ब्रह्मणा बसती सुभे।”
“સમ્ભુત સંભલ ગ્રામે
બ્રહ્મણા બસતી સુભે.”
અર્થાત –
ઓડીશા રાજ્ય નું સમ્ભુત સંભલ ગ્રામ (નાભી ગયા ક્ષેત્ર) અર્થાત નવું સંભલ જેની સ્થાપના અથવા નિર્માણ કરવામાં આવ્યું હોય. એ જ પવિત્ર સ્થાન પર રાજા યયાતિ કેસરી એ દસ હજાર યજ્ઞ ઉપાસક બ્રાહ્મણો ને ઉત્તર પ્રદેશ ના કન્નોજ થી લાવીને વસાવ્યા હતા. એ બ્રાહ્મણો એ એ સ્થાન અર્થાત સમ્ભુત સંભલ પર સાત વખત અશ્વમેધ યજ્ઞ નું અનુષ્ઠાન કર્યું હતું. એ નુતન સંભલ ગ્રામ માં ભગવાન શ્રી હરી ત્યાં ના મુખ્ય બ્રાહ્મણ ના ઘરે પોતાની યોગમાયા થી પ્રકૃતિ ને પોતાને આધીન કરીને જન્મ (અવતાર) લેશે.
કેવળ નિશ્છલ ભક્તિના માર્ગ પર ચાલીને શાસ્ત્રોના સાચા મર્મ ને સમજી શકાય છે. જ્ઞાન અથવા બુદ્ધિ ના બળ ઉપર આ બધા તથ્યો ના સન્મુખ હોવા છતાં પણ બધા માટે એને સમજવું સંભવ નથી.
“જય જગન્નાથ”