મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી એક દુર્લભ પંક્તિ–
जोगी मानहे जोगा अंतना पाइबे आहू केमु समरहथा।
जार लागी खेल तार लागी काहल से बेल कुकाल कथा।।
જોગી માનહે જોગા અંતના પાઈબે આહૂ કેમુ સમરહથા.
જાર લાગી ખેલ તાર લાગી કાહલ સે બેલ કુકાલ કથા.
અર્થાત –
યોગીઓ, ઋષિઓ, મુનીઓ, દેવતાઓ, બ્રહ્માજી તથા સ્વયં મહાદેવજી પણ કળિયુગ ના અંત સમય માયાપતી શ્રી ભગવાન ને ઓળખી નહિ શકે. કલ્કિદેવ ના ધરાવતરણ પછી એમની અલૌકિક માયા ના લીધે સૌ તેમને ઓળખી નહિ શકે. કળિયુગ માં સાધારણ મનુષ્યો માયા અને વિષય-વાસના ના ચક્રવ્યૂહ માં ફસાયેલા છે અને જેમને પૂર્ણ સત્ય નું જ્ઞાન નથી, જેમને શ્રી ભગવાન ની સાત્વિક ભક્તિ નું જ્ઞાન નથી એવા અધમ મનુષ્યો તો શ્રી ભગવાન ને કઈ રીતે ઓળખી શકવાના?
ત્યારે ગરુડ અને શ્રી ભગવાન વચ્ચે ના વાર્તાલાપ માં ગરુડજી ભવભયહારી, શ્રી મધુસુદન, ચક્રધર, ભગવાન ને કહે છે “હે પ્રભુ કળિયુગ ના અંત સમય માં આપ ના ધરાવતરણ પશ્ચાત હું આપને કઈ રીતે ઓળખી શકીશ? કૃપા કરીને આપના શ્રી ચરણો ના રસપાન કરનારા આ અધમ સેવક પર દયા કરીને એમ કહો કે હું આપને કઈ રીતે ઓળખી શકીશ?”
મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસ જે દ્વાપર યુગ માં ભગવાન શ્રી કૃષ્ણ ના પરમ સખા તથા સ્વયમ ભગવાન વિષ્ણુ ની ચેતાવણી ના રૂપ માં એમના દિવ્ય ગ્રંથ ભવિષ્ય માલિકા માં લખે છે કે કળિયુગ ના અંત સમય મા જે લોકો માલિકા પર હસશે,, વિશ્વાસ નહિ કરે તથા, દુષ્પ્રચાર કરશે એ લોકો ને દેવી મહામાયા તથા કાલ નો ગ્રાસ બનવું પડશે. પાછળ થી એમને માલિક ની દિવ્ય અનમોલ વાણી ના મહત્વ નું જ્ઞાન થશે પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઇ ચુક્યું હશે. સાચા સમય પર સમય ની ગંભીરતા ફક્ત જ્ઞાની જનો જ સમજી શકે છે.
આ પ્રકારે આગળ શ્રી ભગવાન એ ગરુડજી ના બધા પ્રશ્નો ના ઉત્તર દીધા તથા એમની શંકા નું નિવારણ કર્યું જે “ગરુડ સંવાદ માલિકા” માં લખવામાં આવ્યું છે.
“જય જગન્નાથ”