મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
જેમ કે આપણે દરેક અવગત છીએ તેમ મહાભારત ના યુદ્ધ નું એક કારણ ભૂમિ વિવાદ હતો, બસ એ જ પ્રકારે વર્તમાનમાં પણ કાશ્મીર ની ભૂમિ ને લઈને જ યુદ્ધ ની શરૂઆત થશે. કાશ્મીર મુદ્દા ના લીધે જ પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરવા માંગે છે અને નજીક ના ભવિષ્ય માં જે કલી-યુદ્ધ થશે અર્થાત અઢાર દિવસ ના મહાભારત યુદ્ધ માં જે એક દિવસ ની એક વેળા નું યુદ્ધ કોઈ કારણવશ બાકી રહી ગયું હતું એ નજીક ના ભવિષ્ય માં અંતિમ ચરણ માં ઓડીશા ની ભૂમિ પર સંપન્ન થશે.
“घटना प्रतिमा पुरुष लिंगः राजंकपुर,
घोरकली महासमर हेबा सेहीठावर।”
“ઘટના પ્રતિમા પુરુષ લિંગ: રાજંકપુર,
ઘોરકલી મહાસમર હેબા સેહીઠાવર.”
અર્થાત–
ઓડીશા નું એ સ્થાન જ્યાં મહાદેવ તથા માતા ભવાની લિંગરાજ ના રૂપ માં વિદ્યમાન છે એ ભુવનેશ્વર ક્ષેત્ર માં કલી-મહાભારત નું ઘોર યુદ્ધ સંપન્ન થશે.
આ વિષે મહાપુરુષ આગળ લખે છે..
“पड़िब चहरसर देशमुलकरे,
जुद्धघोर लागिजिब देशबिदेशरे,
बिदेशरे जेहूँजन स्त्रीपिला मेले,
धाईंबे ग्रामकु सेजे जीबन बिकले।”
“પડીબ ચહરસર દેશમુલકરે,
જુદ્ધઘોર લાગીજીબ દેશબિદેશરે,
બિદેશરે જેહૂજન સ્ત્રીપીલા મેલે,
ધાઈબે ગ્રામકુ સેબે જીબન બીકલે.”
અર્થાત–
જ્યારે સંપૂર્ણ વિશ્વ માં યુદ્ધ ની તૈયારીઓ થઇ ચુકી હશે અને યુદ્ધ શરુ થશે ત્યારે વિદેશ માં રહેતા ભારતીયો પોતાના દેશ પરત ફરવા લાગશે. વિદેશ માં રહેતા ભારતીયો ને પરત ફરવાનો એક અવસર જરૂર મળશે. અસલ માં આ વિશ્વયુદ્ધ કળિયુગ નું અંતિમ મહાયુદ્ધ હશે, આવી પરિસ્થિતિ માં કોઈ ભારતીય વિદેશ માં નહિ રહેવા માંગે. બધા ભારતીયો પરત ફરવા માંગશે. જે આજે કહેતા હશે કે ગામ માં રહેવાનું પસંદ નથી એ ગામડાઓ માં પાછા ફરવા માંડશે કારણ કે અન્ય કોઈ વિકલ્પ યોગ્ય નહિ જણાય.
મહાપુરુષ અચ્યુતાનંદજી એ કયા સ્થાન પર કેટલો વિધ્વંસ થશે, કયા શહેર કે ગામ માં દુશ્મન દેશ દ્વારા સર્વપ્રથમ હમલો થશે, ક્યાં પરમાણું મિસાઈલ નાખવામાં આવશે, ક્યાં બોમ્બ ફેંકવામાં આવશે એ બધું જ ભવિષ્ય માલિકા માં સ્પષ્ટ શબ્દો માં લખ્યું છે પરંતુ દેશ ની સુરક્ષા ને ધ્યાન માં રાખીને એ વાતો નો ઉલ્લેખ અહિયાં નથી કરવામાં આવ્યો. ભારત સરકાર ને પણ ભવિષ્ય માલિકા નું અનુસરણ કરવાની જરૂર છે કારણ કે કોઈ પણ જાસુસી વિભાગ માં આ બધી વાતો સમજવાની ક્ષમતા નહિ હોય. સમય રહેતા સમજી જવાની જરૂર છે કારણ કે પરિસ્થિતિઓ ખુબ ઝડપ થી વિકટ થવા લાગશે.
આ વિનાશકારી યુદ્ધ બાદ સંપૂર્ણ વિશ્વ ની જનસંખ્યા માત્ર ૬૪ કરોડ જ રહી જવા પામશે જે પૈકી ભારત ની આબાદી માત્ર ૩૩ કરોડ હશે. આ પ્રલયકારી યુદ્ધ ના પરિણામો ધારણા કરતા બહુ વિનાશકારી તથા ડરામણા હશે.
યુદ્ધ પછી ભારત ની પરિસ્થતિ તથા ક્ષતિ વિષે મહાપુરુષ આમ લખે છે….
“भारतजे भगवान करजन्मस्थान,
अनिस्ट होइलेपुनि नुआ हेबेजन्मो।”
“ભારતજે ભગવાન કરજન્મસ્થાન,
અનિષ્ટ હોઈલેપુની નુઆ હેબેજન્મો.”
અર્થાત–
ભારત ભૂમિ ભગવાન ચક્રધર નું જન્મસ્થાન છે. અહી જે યુદ્ધ થશે એનાથી બહુ જ અનિષ્ટ થશે. એટલા માટે ભારત ની ક્ષતિપૂર્તિ માટે પ્રભુ નુતન ભારત (અખંડ ભારત) ની રચના કરશે. ભક્તો માટે સુખ શાંતિ ના સમય (અનંત યુગ) ની શરૂઆત થશે.
“જય જગન્નાથ”