મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય
ભક્તો દ્વારા શ્રી ભગવાન ને પ્રશ્ન – પ્રભુ, કળિયુગ ના અંત સમય માં અમે આપને કઈ રીતે ઓળખીશું?
ત્યારે મહાપુરુષ અચ્યુતાનંદ માલિકા ના માધ્યમ થી આ પ્રકારે પ્રશ્ન નો ઉતર આપે છે…
संसार मध्यरे केमन्त जानिबी नरअंगे देहबही।
गता गत जे जुगरे मिलन समस्तंक जणको नाही।।
સંસાર મધ્યરે કેમન્ત જાનિબી નરઅંગે દેહબહી.
ગતા ગત જે જુગરે મિલન સમસ્તંક જણકો નાહી.
અર્થ
માનવ શરીર ના માધ્યમ થી ત્રિભુવન પતિ ની ઓળખ આસાન નથી. ફક્ત અનુભવ માર્ગ થી જ પ્રભુ ની ઓળખ સંભવ છે. આ વિષયે મહાપુરુષ અચ્યુતાનંદજી ફરી આ પ્રકારે લખે છે…
अनुभवे ज्ञान प्रकाश होइबो अनुभव करमह।
भविष्य विचार तेणकी कहिबी ज्ञाने नही तरपर।।
અનુભવે જ્ઞાન પ્રકાશ હોઈબો અનુભવ કરમહ.
ભવિષ્ય વિચાર તેણકી કહીબી જ્ઞાને નહિ તરપર.
અર્થાત
માત્ર ભક્તિ દ્વારા જ ભક્તો ને અનુભવ થશે. બધા ભક્તો ને જાણ થશે કે માધવ મહાપ્રભુ જ ભગવાન મધુસુદન છે. આગળ મહાપુરુષ અચ્યુતાનંદજી ભવિષ્ય માલિકા માં લખે છે કે બધા લોકો ને ભગવાન ની પ્રાપ્તિ નહિ થાય.
ધરતી પર દેવી અને દેવતાઓ માનવ રૂપે જન્મ લેશે પરંતુ જેની પાસે પૂર્વ જન્મ ના સંસ્કાર હશે, જે ભગવાન ની ખોજ માં હશે, જેની અંદર ભગવાન ને પ્રાપ્ત કરવા માટે દ્રઢતા હશે, જે ભક્તો ગૌલોક, વૈકુંઠ ના નિવાસી હશે, જે દરેક યુગ માં પ્રભુ ના ધરાવતરણ પહેલા પૃથ્વી પર જન્મ લે છે એ જ ભક્તજનો નિઃસ્વાર્થ ભાવે શ્રી ભગવાન ની શરણ માં આવશે. આગળ જતા એ ભક્તજન ભવિષ્ય માં ભગવાન ના શાસન ને ભોગવશે અને પ્રભુ ની મહિમા તથા મહાપરાક્રમ નો આનંદ પ્રાપ્ત કરશે. એ જ ભક્તજન ભગવાન અનંત ની છત્ર છાયા માં અનંત સુખ નો અનુભવ પ્રાપ્ત કરી શકશે.
कोटि के गोटिये जाहन्ति सेरस तिरिसे सहस्त्र गणासही।
महिमा प्रकाश निश्चय रामदास आनेमो कोहून्ति नाही।।
કોટી કે ગોટીયે જાહન્તિ સેરસ તિરિસે સહસ્ત્ર ગણાસહી.
મહિમા પ્રકાશ નિશ્ચય રામદાસ આનેમો કોહૂન્તી નાહી.
અર્થાત એક કરોડ લોકો માં માત્ર એક ભક્ત એવો હશે જેને શ્રી ભગવાન ની અનુભૂતિ થશે અને એના હૃદય માં એ વાત નો વિશ્વાસ હશે કે અમારા તારણહાર ભગવાન શ્રી હરી એ ધરાવતરણ કરી લીધું છે અને આપણે એમના શરણ માં જરૂર જવું જ છે એવી દ્રઢતા થશે. એ લોકો સમય ની ગંભીરતા ને સમજી ને ભગવાન ની શરણ માં જશે અને ભગવાન ના સાન્નિધ્ય ને પ્રાપ્ત કરીને કૃતાર્થ થઇ જશે. ફક્ત ભક્તિ દ્વારા જ આ અનુભવ પ્રાપ્ત થશે. પ્રભુ ના વિષય માં જાણકારી પ્રાપ્ત કરવા માટે ભક્તિ સિવાય કોઈ અન્ય માર્ગ નથી.
“જય જગન્નાથ”