મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“सेही बेला काला जाणी, ओडिशा रे प्रभु जन्मिबे पुनि।
लो जाइफललो केही, तांको मायांकोनाचिन्हि।।”
“સેહી બેલા કાલા જાણી, ઓડિશા રે પ્રભુ જન્મીબે પુનિ.
લો જાઈફલલો કેહી, તાંકો માયાંકોનાચિન્હી“
અર્થ –
કળિયુગ અને અનંતયુગ વચ્ચે, સંધિકાળના ચોક્કસ સમયે, પાપ અને અનાચાર નાબૂદ કરવા અને વિનાશનું કાર્ય પૂર્ણ કરવા, પૃથ્વી અને વસુ માતાના રક્ષણ માટે, ધર્મના ઉદ્ધાર માટે, ભગવાન કલ્કિરામ માધવ મહાપ્રભુ ઓડિશાની પવિત્ર ભૂમિ પર અવતરશે.
ભગવાનની માયા ને કોઈ પણ સમજી શકશે નહીં. દરેકના મનમાં આ વાત આવશે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરશે ત્યારે ભગવાનના લાખો-લાખો ભક્તો હશે. પરંતુ તેઓ જાણતા નહીં હોય કે દ્વાપર યુગમાં ભગવાને માત્ર સોળ હજાર ગોપી, ગોપાલો સાથે દિવ્ય લીલા કરી હતી. તમામ સામાન્ય લોકોની બુદ્ધિ માયાપતિની ભ્રમણાથી છીનવાઈ જશે જેના કારણે તેઓ આ ઊંડા તથ્યોને સમજી શકશે નહીં.
“જય જગન્નાથ”