મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ લખેલી માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
માલિકામાં વિશ્વયુદ્ધ વખતે સંપૂર્ણ વિશ્વની પરિસ્થિતિ, કયા દેશ ભારતના પક્ષ માં હશે અને કયા દેશ ભારતની વિરુદ્ધ માં એની જાણકારી આ પ્રકારે વર્ણિત છે.
“पूर्ब पश्चिम रंग बर्न हेब गिरी मालाचम कीव लोहा,
कहना मानो भारोते भूलिब रूसिया शासन हेबो।”
“પુર્બ પશ્ચિમ રંગ બર્ન હેબ ગીરી માલાચમ કીવ લોહા, કહના માનો ભારોતે ભુલીબ રુસીયા શાસન હેબો.”
અર્થ-
વિશ્વના પૂર્વ અને પશ્ચિમના બધા દેશોમાં ભયાનક યુદ્ધ થશે. વિશ્વમાં બધી જગ્યા એ દિવાળી ની આતિશબાજી જેવી રોશની દેખાશે. જ્યાં જુઓ ત્યાં હાહાકાર હશે. ક્યાંય પણ શાંતિ નું નામોનિશાન નહિ હોય. યુદ્ધના લીધે આકાશનો રંગ લાલ માં પરિવર્તિત થઇ જશે. એ જ વખતે ભારતનું પણ પાકિસ્તાન અને ચીન સાથે ભીષણ યુદ્ધ થશે. એક એવો સમય પણ આવશે જયારે ભારત પર થોડા સમય માટે રશિયાનું શાસન થઇ જશે.
રશિયા દ્વારા થોડા સમય માટે ભારતની શાસન વ્યવસ્થા અને સેનાને પૂર્ણ રૂપથી સહાયતા કરવામાં આવશે. રશિયા નું સમર્થન સતત ભારત સાથે હશે. ભારત ની બધી મુશ્કેલીઓમાં રશિયા ભારતનો સંપૂર્ણ સાથ આપશે. ભવિષ્ય માલિકા ની વાણી એ બ્રહ્મવાણી છે. એમાં લખેલી હર એક વાત ભવિષ્યમાં ફળીભૂત થતી લોકો સ્વયમ જોશે.
મહાપુરુષ આગળ આમ લખે છે…
વિશ્વયુદ્ધ વખતે વિશ્વના બધા મોટા દેશો અર્થાત ભારત, અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ચીન, રશિયા બધા જ બે ભાગો માં વહેચાઇ જશે. બધા પોતપોતાના સંગઠનનો સાથ નિભાવશે. આ બધી રણનીતિ તથા બદલાવ તૃતીય વિશ્વયુદ્ધ પહેલા જ દરેક ને જોવા મળશે. યુદ્ધમાં ભારતના સમર્થનમાં જાપાન, રશિયા, જર્મની, ફ્રાંસ જેવા દેશો આવશે અને રશિયા બધા થી અધીકપણે ભારતનો સહયોગ કરશે તથા એક સમયે ફ્રાંસ પણ પોતાની પૂરી ક્ષમતાથી ભારતનો સાથ દેશે. યુદ્ધના અંત માં ભગવાન કલ્કિ દ્વારા ભારતની જીત સુનિશ્ચિત કરવામાં આવશે અને ભારત વિશ્વ વિજેતા ના રૂપ માં ઉભરી આવશે.
“જય જગન્નાથ”