ભગવાન કલ્કિના નામનો સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર પ્રસાર કરો.
મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ લખેલી માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“तुम्भ सेवा काहू जाणीवी प्रभु जगोजी बन,
प्रकुति माने भुलाइले सुधारस आप्यानो,
राखिले रख जगन्नाथे नाही अन्य रखंता,
तुम्भे ना रखिले भासिली प्रभु सुणि नाहुओचिंता।“
“તુમ્ભ સેવા કાહૂ જાણીવી પ્રભુ જગોજી બન, પ્રકૃતિ માને ભુલાઈલે સુધારસ આપ્યાનો, રાખીલે રખ જગન્નાથે નાહી અન્ય રખંતા, તુમ્ભે ના રખિલે ભાસિલી પ્રભુ સુણી નાહુઓચિંતા “
અર્થ –
ભક્ત ભગવાનને કહે છે, “હે પ્રભુ! તમારી સેવા કરવાની ક્ષમતા મારામાં નથી. બ્રહ્માજી અને મહાદેવ પણ શ્રી ભગવાનની સેવા કરવામાં અસમર્થ સાબિત થયા છે. આખા બ્રહ્માંડના બધા દેવતાઓ પણ એક થઈને તમારી સેવા કરવામાં અસમર્થ હતા.
પ્રાચીન કાળમાં ‘વામન’ અવતારમાં, જ્યારે તમે તમારા ચરણકમળને સ્વર્ગ પર કબજો કરવા માટે આગળ ધર્યા હતા, તે સમયે તમારા ચરણકમળ બ્રહ્માંડને ચીરીને બ્રહ્મલોકમાં પહોંચ્યા હતા. તમારી આ અદ્ભુત દિવ્ય લીલા જાણીને બ્રહ્માજીએ શ્રી ભગવાનની સ્તુતિ કરી અને તેમની આંતરિક ઈચ્છા તમારી સમક્ષ વ્યક્ત કરી, “હે! દીનબંધુ, જો તમે આજ્ઞા કરશો, તો હું બ્રહ્મલોકમાં આવેલા તમારા શ્રીચરણોને એક વાર ધોઈ લઉં, એથી મારું આખું જીવન સાર્થક થઈ જશે.” શ્રી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ બ્રહ્માજીએ ભગવાનના પગને તેમના કમંડલમાં સ્થિત માતા ગંગાના પવિત્ર જળ દ્વારા ધોવાનો પ્રયાસ કર્યો, પરંતુ માતા ગંગા ભગવાનના આખા પગ ધોઈ શક્યા નહીં. જગતપતિના શ્રીચરણની ટચલી આંગળીના ખૂણે ગંગા માતા અંતર્મુખી (લુપ્ત) થઇ ગયા.
બ્રહ્માજી દ્વારા શ્રીચરણ ધોયાની આ ઘટના દરમિયાન બ્રહ્માજી જ્યારે પગ ધોવે છે ત્યારે ભગવાન શંકરે પણ ચરણામૃત પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ગંગાજી પગ ન ધોઈ શકવાને કારણે બ્રહ્માજી કે મહાદેવની ઈચ્છા પૂર્ણ થઈ ન હતી. જે મહાવિરાટ ત્રિભુવનપતિની સેવા ખુદ બ્રહ્મા કે મહાદેવ ન કરી શક્યા તેવા ‘ભવ ભયહારી મધુસૂદન’ની સેવા ભક્તો શું કરશે?”
મહાપુરુષ અચ્યુતાનંદજી આ વિષય પર ફરી એકવાર આ રીતે લખે છે…
“तुम्भ सेवा कहूँ जाणीवी तुम्भ वृतयंक सेवा,
सेवार सिमानो जाणोई उड़ी वईलियोवा।“
“તુમ્ભ સેવા કહૂં જાણીવી તુમ્ભ વૃતયંક સેવા, સેવાર સિમાનો જાણોઈ ઉડી વઈલિયોવા”
અર્થ –
ભક્ત અચ્યુતાનંદજી ભગવાનને કહે છે, “હે! પ્રભુ, અમારી માટે તમારી સેવા કરવી શક્ય નથી. તમારું શરીર અનંત બ્રહ્માંડોમાં વ્યાપક છે. મારા જેવા કમનસીબ ના એવા કર્મો પણ નથી અને નથી હું વિદુરજી અને કેવટ અથવા માઁ કુબ્જા જેટલો ભાગ્યશાળી પણ નથી કે તમારા પગ ધોઈ શકું. હકીકતમાં, અત્યાર સુધી માત્ર ત્રેતામાં કેવટ, દ્વાપરમાં વિદુર અને મા કુબ્જાને ભગવાનના ચરણકમળન ધોવાનું સૌભાગ્ય મળ્યું હતું.
વર્તમાન કળિયુગમાં ભક્તોની કોઈ સેવા નથી. માત્ર ગરીબ, દુઃખી, જીવો, પ્રાણીઓને જ કંઈક દાન કરો. ભગવાનના નામનો સતત જાપ કરો. સત્સંગ કરો અને તમારી હાજરીમાં આવનાર તમામ સજ્જનોને સાચો માર્ગ બતાવો. ભગવાન કલ્કિનું નામ સમગ્ર વિશ્વમાં ફેલાવો. ભગવાનને કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. ન તો ભગવાનને કોઈ વસ્તુની જરૂર છે, ન તો ક્યારેય જરૂર પડશે. ન તો ભગવાને રામ અવતાર કે કૃષ્ણ અવતારમાં કોઈની પાસેથી કંઈ લીધું ન હતું, ન તો અત્યારે કંઈ લેશે.
ભક્તો પાસે ભક્તિ, સમર્પણ અને નામ પ્રચાર તથા દાન સિવાય ભગવાનને આપવા માટે કંઈ નથી. ભવિષ્યમાં જેમ જેમ ધર્મ સ્થાપનાનું કાર્ય આગળ વધશે તેવી જ રીતે પંચભૂત પ્રલય પણ ઉગ્ર બનશે. ભયંકર વરસાદ પડશે, આકાશમાંથી ઉલ્કા વર્ષા થશે, દરેક ગામ, શહેર, જંગલ બળીને રાખ થઈ જશે, દરિયો તેની હદ વટાવીને પ્રલય સર્જશે. સમુદ્રમાંથી ઉછળતા અનેક ભયંકર તોફાનો જમીન પર તબાહી મચાવશે, ધરતીકંપ, રોગો, મહામારી, ભૂખમરો, કોમી હિંસા, અવિશ્વાસ અને પતિ-પત્ની વચ્ચેના વિખવાદ દ્વારા વિનાશ થશે. વર્તમાન સમયમાં પતિ-પત્ની સ્વાર્થી અને ઈચ્છુક બની ગયા છે. આ બધા આવનારા વિનાશના સંકેતો છે.
“જય જગન્નાથ”