આજે જયારે પવિત્ર ઘડી તરફ ધરતી અગ્રેસર થઇ રહી છે ત્યારે એક તરફ સંહાર લીલા પોતાના અંતિમ ચરણ પર છે. જ્યારે એક તરફ ભક્તો નું એકત્રીકરણ કરીને તેમનો ઉદ્ધાર કરવામાં આવી રહ્યો છે ત્યારે એક તરફ પાપિયો નો સંહાર પણ થઇ રહ્યો છે.
વર્તમાન માં આપણે બધા અત્યંત કઠીન તથા મુલ્યવાન સમય ને પાર કરી રહ્યા છીએ જેનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે, અધ્યાત્મ તથા ભગવાન ની શરણ ની સાથે સાથે ભવિષ્ય માલિકા નું અનુસરણ. કારણ કે વિનાશ નો જે તાંડવ દુનિયા ભાર માં ચાલી રહ્યો છે એના થી કેટલાય ગણો સખત વિનાશ આપની સામે ઉભો છે. મનુષ્યો ને પોતાના માટે પોતાની અંદર બદલાવ કરવાની જરૂર છે અન્યથા પ્રભુ ની પ્રભુતા માં એનાથી કોઈ ફરક નથી પડી જવાનો.
પ્રભુ ધર્મ સંસ્થાપના કરશે ત્યારે એકમાત્ર ધર્મ જ પ્રભુ માટે સર્વોપરી હશે. પછી ભલે ને કોઈ ધર્મ, પંથ કે જાતી કેમ ના હોય પણ જેમનું ધર્મબળ અધિક હશે એ દિવ્ય લોકો જ સતયુગ માં પ્રવેશ પામશે. પાપ, અધર્મ તથા અન્યાય કરનારાઓનો તો વિનાશ નિશ્ચિત છે પછી ભલે ને એ કેટલો પણ સક્ષમ કેમ ન હોય. એમને કાલ ના પંજા થી કોઈ બચાવી નહિ શકે.
માલિકા માં દર્શાવ્યા મુજબ ધર્મ સંસ્થાપના ના જે નાયક છે એ છે ભગવાન કલ્કિ. જે સ્વયં મહાવિષ્ણુ ના અંતિમ અવતાર છે એમની શરણ માં એ દરેક વ્યક્તિ જેના માં ભક્તિ છે એમને આવવું જ પડશે. જે ભક્ત નથી એમના માટે પ્રભુ સુધી પહોચવાનો કોઈ રસ્તો છે જ નહિ. ફક્ત ભક્તો માટે જ ભગવાન દરેક યુગ માં સાકાર રૂપ લઇ ને ભક્તો ના ઉદ્ધાર માટે પ્રભુ સમગ્ર વિશ્વ માં રામરાજ્ય ની પુનઃસ્થાપના કરે છે. આવનારા સંકટ માં ભારત ની રક્ષા કઈ રીતે થશે એ પ્રશ્ન લોકો ના મન માં છે. તો આવનારા સમય માં પણ ભારત ની રક્ષા મહાપ્રભુ કલ્કિ જ કરશે.
ભક્તો ના તારણહાર મહાપ્રભુ કલ્કિ નો જન્મ ભારત માં જ થયો છે. વર્તમાન સમય માં વિશ્વ ની કથિત મહાશક્તિઓ જે અત્યારે ભારત ની અવગણના કરી રહી છે એમને એનો જવાબ સમય જ આપશે જ્યારે તેમને વિશ્વાસ કરવો જ પડશે. કોઈ પણ અભિમાની તથા પોતાના ધન, ક્ષમતા, જ્ઞાન, શાસ્ત્ર માર્ગ કે પોતાના ધર્મ અને પંથ ના જોરે પ્રભુ સુધી નહિ પહોચી શકે. પ્રભુ માટે આ બધા નું કોઈ મુલ્ય છે જ નહિ. કરુણાનિધાન પ્રભુ પાસે માત્ર પવિત્રતા નું જ મુલ્ય છે, તથા સત્કર્મો નું જ મહત્વ છે. ધરતી પર કોણે કેવા કર્મો કર્યા છે તથા તેના ભાવ તથા ભક્તિ ની ગુણવત્તા કેવી છે એના આધાર પર જ પ્રભુ ભક્તો નો ઉદ્ધાર કરે છે. માલિકા અનુસાર ભગવાન કલ્કિ શંખ ચક્ર ગદા તથા પદ્મ સાથે ચતુર્ભુજ રૂપ માં ધરાવતરણ નહિ કરે. જે પ્રકારે ભગવાન શ્રી રામ અથવા કૃષ્ણ, ભગવાન પરશુરામ, બુદ્ધ દેવ, ચૈતન્ય મહાપ્રભુ આદિ એ વિશ્વ માં ધરાવતરણ કર્યું હતું એમ જ ભગવાન કલ્કિ સાધારણ મનુષ્ય ના સ્વરૂપ માં જન્મ લેશે.તથા ધર્મ સંસ્થાપના કરશે. પ્રભુ ગુપ્ત સ્થાન માં રહેશે તથા તેમનો પ્રકાશ ફક્ત એમના સદાચારી ભક્તો માટે જ થશે. ફક્ત ભક્તો જ અનુભવ, અનુભુતીયો નો આનંદ પામશે તથા એમને ઓળખી શકશે. આ બધી વાતો મહાપુરુષ અચ્યુતાનંદ જી એ પોતાના ગુપ્ત ગ્રંથ માલિકા માં શ્રી ભગવાન ની ઈચ્છા થી સ્પષ્ટ શબ્દો માં લખી છે.
“छपना कोटि जीव जंतु कोटि तेंतीस देवो,
कहे अच्युत कृष्ण भकती जार बासना थिबो।“
“છપના કોટિ જીવ જંતુ કોટિ તેંતીસ દેવો,
કહે અચ્યુત કૃષ્ણ ભક્તિ જાર બાસના થીબો.”
અર્થાત –
છપ્પન કોટિ જીવ જંતુ અર્થાત પીન્ડજ (મનુષ્ય અને સ્તનધારી જીવો) તથા અંડજ, સ્વેદજ તથા ઉદ્ભીજ બધું મળીને કુલ ૫૬ કરોડ પ્રકાર ના જીવ જંતુઓ પૃથ્વી પર છે. માલિકા માં એક સ્થાન પર મહાપુરુષ એ વિશેષ જોર દીધું છે કે ભગવાન કલ્કિ ની પ્રાપ્તિ બધા લોકો ને નહિ થાય. ધરતી પર મનુષ્ય રૂપ માં દેવી દેવતાઓ પણ અવતરિત થયા છે જેઓ વિકાર રહિત છે તથા તેમના માં પૂર્વ જન્મ ના સંસ્કાર છે. જેમને ભગવાન ને પ્રાપ્ત કરવાની અભિલાષા હશે તથા તેઓ ભગવાન ને શોધતા હશે. એ ભક્તો જેઓ ગોલોક કે વૈકુંઠ ધામ થી અવતરિત થયા છે પ્રભુ ની લીલા માટે, એમને જ કલ્કિ ભગવાન ની પ્રાપ્તિ થશે.તે લોકો જ ભગવાન ની સાથે અનંત યુગ માં જાશે તથા ભગવાન ના સાન્નિધ્ય નો લાભ લેશે. તેઓ જ અનંત યુગ નું સુખ ભોગવશે જેમાં દુર દુર સુધી દુઃખ નું નામોનિશાન નહિ હોય. જે લોકો ગોપવંશી, યદુવંશી, ઋષિવંશી પ્રભુ ના પરિવાર સમા છે, વિશ્વ માં ખૂણા ખૂણા માં છે એમના માટે બહુ સુખદ સમાચાર છે કે પ્રભુ નું ધરાવતરણ થઇ ચુક્યું છે. કોઈ જ્ઞાન, બુદ્ધિ કે કથા ના માધ્યમ થી પ્રભુ સુધી નહિ પહોચી શકે એ માલિકા માં સ્પષ્ટ કહેવાયું છે. પ્રભુ ની નિશ્છલ તથા નિર્મળ ભક્તિ થી જ પ્રભુ સુધી પહોચી શકાશે. એક કરોડ લોકો માં એક ને અનુભૂતિ થશે અને વિશ્વાસ થશે કે પ્રભુ ની ધરાવતરણ થઇ ચુક્યું છે. જે લોકો મુલ્યવાન સમય ની કીમત સમજતા નથી જેઓ આ જાણવા છતાં પણ સમય નષ્ટ કરે છે તથા અંત સમય માં પણ આ વાત ની અવગણના કરે છે પ્રભુ ના દર્શન તેમને નહિ થાય. ભગવાન ને મેળવવાનું સૌથી સુલભ સાધન ભક્તિ, સમર્પણ, વિશ્વાસ, ત્યાગ તથા અનુભૂતિ જ હશે.
જય જગન્નાથ