ભગવાન વ્યાસ અને મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ મહાભારત અને માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો –
ભગવાન વ્યાસજી દ્વારા મહાભારતના વનપર્વમાં ભગવાન કલ્કિના જન્મસ્થળ સંભલ નગરના વિષયમાં સંશોધન કરીને આ રીતે લખવામાં આવ્યું હતું...
“कल्कि विष्णु यशा नाम द्विज काल प्रचोदित,
उत्पत्तेसो महा बीरजो महा बुद्धि पराक्रम।”
“કલ્કિ વિષ્ણુ યશા નામ દ્વિજ કાલ પ્રચોદિત,
ઉત્પત્તેસો મહા બીરજો મહા બુદ્ધિ પરાક્રમ.”
અર્થ –
ભગવાન કલ્કિનો જન્મ ભગવાન વિષ્ણુ (વિષ્ણુ યશ) ના ગુણગાન કરનારા એક (દ્વિજ) બ્રાહ્મણના ઘરે થશે. ભગવાન કલ્કિ સૌથી પવિત્ર વિષ્ણુ અંશ વીર્યમાંથી જન્મ લેશે, અને તે મહાન બુદ્ધિ અને મહાન શક્તિ સાથે જન્મશે.
આમ મહાપુરુષ અચ્યુતાનંદ જી પોતાની માલિકામાં આ રીતે લખે છે…
“अम्भे इच्छा कलै सप्तदीपमहि निमिसे भांगीवो पुहंण,
नेत्रमुहर कोटि सूर्ज जाहत निःस्वासुअर्ण चास,
लोमकेशपत ब्रह्माण्ड वहिचु एणुबिराट पुरुष।”
અંભે ઈચ્છા કલૈ સપ્તદીપમહી નિમિસે ભાંગીવો પુહંણ,
નેત્રમુહર કોટિ સુર્જ જાહત નિઃસ્વાસુઅર્ણ ચાસ,
લોમકેશપત બ્રહ્માંડ વહિચુ એણુબિરાટ પુરુષ.
અર્થ –
મહાપુરુષ અચ્યુતાનંદજીએ ભગવાન વ્યાસજીના કથનને પ્રમાણિત કર્યું અને લખ્યું કે આખી દુનિયાના તમામ શક્તિશાળી દેશો, અમેરિકા કે ચીન કે રશિયા કે ઈંગ્લેન્ડ, ભલે તે બધા ભેગા થઈ જાય, તો પણ, તેઓ ભગવાન કલ્કિની શક્તિ સામે એક ક્ષણ માટે પણ ટકી શકશે નહીં. ભગવાન કલ્કિ સ્વેચ્છાએ ધર્મની સ્થાપના કરશે, ઘણા લોકો દલીલ કરે છે કે ભગવાન કલ્કિ દૈવી(દિવ્ય) શરીર લેશે.
પરંતુ આ વાતને સંપૂર્ણ રીતે નકારીને, મહાપુરુષ અચ્યુતાનંદજી ફરીથી લખે છે કે-
ભગવાન કલ્કિ વિશ્વના સર્જક છે. તેઓ હંમેશા જન્મ પછી તરત જ બ્રહ્મ પ્રલય કરવા માટે સક્ષમ છે. તેમને કોઈ દૈવી શરીર ધારણ કરવાની કોઈ જરૂર નથી, અથવા કોઈપણ વય મર્યાદા અથવા સમય મર્યાદા તેમને કોઈપણ રીતે લાગુ પડે નહીં. બ્રહ્મની કોઈ ઉંમર નથી, બ્રહ્મ માત્ર બ્રહ્મ છે, તે હંમેશા હતા અને હંમેશા રહેશે. બ્રહ્મને કોઈ મર્યાદા નથી, તે નિરાકાર છે, વાસ્તવિક છે, શાશ્વત છે, સર્વત્ર છે, વિશ્વવ્યાપી, બ્રહ્માડવ્યાપી છે, અનંત છે.
हरि अनन्त हरि गुण अनन्ता।
હરિ અનંત હરિ ગુણ અનંતા.
એકવાર માર્કણ્ડેય ઋષિએ ભગવાન વિષ્ણુને બ્રહ્મ પ્રલયના સમયે સમુદ્રના પાણીમાં અને વટપુટ પર અંગૂઠાનું રૂપ ધારણ કરીને મોંમાં આંગળી નાખી સૂતેલા જોયા, પછી ભગવાનનું મુખ ખોલતાં જ માર્કણ્ડેય ઋષિએ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું. અને ભગવાનના મુખમાં પ્રવેશ કર્યો, જ્યારે તે અંદર ગયા , ત્યારે તેમણે વિશાળ પર્વતો, મહાસાગરો, નદીઓ, તળાવો, વૃક્ષો અને છોડ, જ્વાળામુખી, સૂર્ય અને ચંદ્ર અને સમગ્ર બ્રહ્માંડ, ચારમુખી બ્રહ્મા જોયા અને પોતાનો આશ્રમ પણ જોયો. એટલે આખી સૃષ્ટિ તેમનામાં સમાવિષ્ટ છે. ભગવાનની કોઈ ઉંમર નથી, ભગવાન કલ્કિ દેખાવમાં બાળક હોઈ શકે, પણ માત્ર ઈચ્છાથી તે સાત ખંડોને કાંચના વાસણ ની જેમ ટુકડા-ટુકડા કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ ઈચ્છે તો તેમની આંખોમાંથી લાખો સૂર્યનું તેજ નીકળી શકે છે, તેમની સામે કોઈ અણુશક્તિનું સ્થાન નથી.
મહાપુરુષ ફરીથી માલિકામાં લખે છે..
“गुपत प्रगट कही तनुहाई अचंभित लागे वाणी,
चेतुआ भगत गुपत काहाकु बेल सुवछन्ति जाणी,
लीला प्रकाश हेब भगतंक लीला भारी होईब लीला प्रकाश हेब।”
“ગુપત પ્રગટ કહી તનુહાઈ અચંભિત લાગે વાણી,
ચેતુઆ ભગત ગુપત કાહાકુ બેલ સુવછન્તિ જાણી,
લીલા પ્રકાશ હેબ ભગતંક લીલા ભારી હોઈબ લીલા પ્રકાશ હેબ.”
અર્થ –
મહાપુરુષ કહે છે કે જો હું આ ગુપ્ત વાતો ભારતવાસીઓ સમક્ષ જાહેર કરીશ તો બધાને આશ્ચર્ય થશે. મહાપુરુષ અચ્યુતાનંદજી ના આ શબ્દોનો અર્થ ફક્ત એવા પુણ્ય ભક્તો છે જે દરેક યુગમાં ધર્મની સ્થાપના સમયે ભગવાનની સાથે જન્મ લે છે. ફક્ત તે જ ભક્તો આ રહસ્યોને સમજી શકશે અને સંપૂર્ણ વિશ્વાસ કરશે.
“જય જગન્નાથ”