ભવિષ્ય માલિકા ની સત્યતા ને સિદ્ધ કરતી મહાભારત માં ભગવાન વ્યાસ દ્વારા લખવામાં આવેલી એક પંક્તિ –
મહાભારત ના વનપર્વ માં કળિયુગમાં ભગવાન ના ધરાવતરણ વિષે આ પ્રકારે લખવામાં આવ્યું હતું…
“सम्भूत संभल ग्रामे ब्राह्मण बसती सुभे।”
“સમ્ભુત સંભલ ગ્રામે
બ્રાહ્મણ બસતી સુભે”
અર્થ –
ચાર યુગો માં માત્ર સત્યયુગ માં જ ભગવાન અપ્રાકૃતિક રીતે દિવ્ય શરીર ધારણ કરી ને અવતરિત થયા હતા કારણ કે સત્યયુગ માં ધર્મ ને ચાર પગ હતા. એ પછી ત્રેતા અને દ્વાપરયુગ માં પ્રભુએ પ્રાકૃતિક નિયમ પ્રમાણે જ માતા ના ગર્ભ થકી જન્મ લીધો હતો. કળિયુગ માં પોતે જ નિર્મિત પ્રકૃતિ ના નિયમ ને ત્રીજી વખત સ્વીકાર કરીને જગતપતિ ભગવાન શ્રી હરી પોતાની માતા ના ગર્ભ થી જન્મ લેશે !
ઓડીશા રાજ્ય નું સમ્ભુત સંભલ ગ્રામ (નાભી ગયા ક્ષેત્ર) અર્થાત નવું સંભલ જેની સ્થાપના અથવા નિર્માણ કરવામાં આવ્યું હોય. યયાતિ કેશરીજી એ દસ હજાર યજ્ઞ ઉપાસક બ્રાહ્મણો ને ઉત્તરપ્રદેશ ના કન્નોજ થી લાવીને એ જ પવિત્ર સ્થાન ઉપર વસાવ્યા હતા. એ બ્રાહ્મણોએ એ દિવ્ય સ્થાન (સમ્ભુત સંભલ) પર સાત વખત અશ્વમેધ યજ્ઞ નું અનુષ્ઠાન કર્યું હતું. એ પવિત્ર સ્થાન પર ભગવાન બ્રહ્મા એ પણ આદિયુગ ની સૃષ્ટિ વખતે યજ્ઞ અનુષ્ઠાન કર્યું હતું. એ જ નવા સંભલ ગ્રામ માં ભગવાન શ્રી હરી ત્યાં ના મુખ્ય બ્રાહ્મણ ના ઘરે, પોતાની યોગમાયા થી પ્રકૃતિ ને ખુદ ને આધીન કરીને પોતાની માતા ના ગર્ભ થી જન્મ લેશે (અવતરિત થશે).
“જય જગન્નાથ”