મહાપુરુષ શ્રી બલરામદાસ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
શાસ્ત્રો અનુસાર કળિયુગ ના અંતિમ ચરણ માં વર્ષા થવાના કોઈ નીતિ-નિયમ નહિ રહી જવા પામે, નિયમતઃ વર્ષા પોતાના નિશ્ચિત સમય માં અનાજ, શાક, ફળ-ફળાદી વગેરે ના પૂરતા ઉત્પાદન માટે પર્યાપ્ત માત્રા માં થવી જોઈએ, પરંતુ એવું નહિ થાય. ઋતુ ક્રમ થી વિપરીત કોઈ પણ સમય માં અનિયમિતતા સાથે ક્યારેક અત્યાધિક તો ક્યારેક આવશ્યકતા થી પણ ઓછો વરસાદ જોવા મળશે. અત્યાધિક તથા તીવ્ર વર્ષા થી મનુષ્ય સમાજ ત્રસ્ત રહેશે જેના કારણે રોગ, વ્યાધી, અકાળ, ભૂખમરો વગેરે પરિસ્થિતિઓ મનુષ્યો ને સહન કરવી પડશે.
“अदिने बर्षा हेबो काल नदी बढिबो, अपालकों होई नासजिबे महि अज्ञानी होईबे जन।
इंद्र जे अन्याय करिबो जल जे कठोर होइबो, बहुत प्रमाद पड़ीबो केही काहू के ना मानिबे।”
“અદીને બર્ષા હેબો અકાલ નદી બઢીબો, અપાલકો હોઈ નાસજિબે મહી અજ્ઞાની હોઈબે જન. ઇન્દ્ર જે અન્યાય કરીબો જલ જે કઠોર હોઈબો, બહુત પ્રમાદ પડીબો કેહી કાહૂ કે ના માનિબે.”
અર્થાત –
અસમય ભયંકર વર્ષા થવા ના લીધે નદીઓ નું જળસ્તર વધશે, નદિયોં માં ભરતી ના લીધે વારે વારે પુર આવશે, ખેતરો અને પાક નષ્ટ થઇ જશે, ખેડૂતો ની દુર્દશા થશે, એમને હાની સહન કરવી પડશે, એમના પરિશ્રમ તથા ધન બંને વ્યર્થ જશે. આવી પરિસ્થિતિ ને લોકો પોતાની નજરે જોવા છતાં પણ માયા ને વશીભૂત થઈને તથા અજ્ઞાન ના અંધકાર માં ડૂબેલા હોવાના લીધે પરિસ્થિતિઓ ના સામાન્ય થવાની રાહ જોશે.
કળિયુગ ના અંત સમય માં ઇન્દ્ર દેવતા પ્રભુ દ્વારા નિર્ધારિત નિયમ તથા નીતિ નું વારંવાર ઉલ્લંઘન કરશે, નિયમ પૂર્વક ધરતી નું પાલન ન કરીને અન્યાય કરશે.
ખેતી ના વારંવાર નુકસાન ના લીધે મોંઘવારી વધતી જશે, ખાદ્ય સામગ્રી સામાન્ય લોકો માટે પહોંચ ની બહાર થતી જશે. આવી પરિસ્થિતિ વિશ્વ ના લગભગ બધા દેશો માં જોવા મળશે. મોંઘવારી ના લીધે શાસન વ્યવસ્થા ને લોકો ના આક્રોશ નો સામનો કરવો પડશે. ચારે બાજુ હાહાકાર હશે, કોઈ કોઈ નું સાંભળશે નહિ, શાસન પ્રશાસન ને કોઈ ગણકારશે નહિ, લોગો ભૂખ ના લીધે કાયદા ને પોતાના હાથ માં લેવા લાગશે. કેટલાય દેશો માં સ્થિતિ તનાવપૂર્ણ થવા લાગશે અને સમયાંતરે ભારત પણ આનાથી અછુતું નહિ રહે. ભારત ને પણ એવી દુર્ભિક્ષ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે.
એક એવો સમય હતો જયારે જેમની પાસે અઢળક ધન હતું, જે લોકોની આર્થિક સ્થિતિ વધુ મજબુત હતી એ લોકો સુખી રહેતા હતા, એમના માટે સમય અનુકુળ પ્રતીત થતો હતો. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. હવે ધીરે ધીરે દરેક જોશે કે જેમની પાસે ધર્મબળ અને ભક્તિભાવ વધુ હશે એ વધુ સુખપૂર્વક રહી શકશે. જે લોકો પાસે પુષ્કળ સત્તા અને સંપતિ હશે એ લોકો ને એ કઈ કામ નહિ આવે કારણ કે જયારે સત્ય નો વિશ્વ માં પ્રકાશ થાય છે ત્યારે ધીરે ધીરે ધર્મ ની શક્તિ અને પ્રભાવ સંસાર માં ફેલાવા લાગે છે.
આવા સમય માં દરેક ને ધર્મ ની ધારા નું અનુસરણ કરવું જોઈએ, દરેક ને ધર્મ નો માર્ગ અપનાવવો જોઈએ, સત્ય સનાતન ધર્મ માટે કાર્ય કરવું જોઈએ, તથા ભક્તિ ભાવ થી શ્રી ભગવાન ના ચરણો માં સ્વયં ને પૂર્ણ રૂપ થી સમર્પિત કરી દેવા જોઈએ.
“જય જગન્નાથ”