કળિયુગનો અંત આવી ગયો છે. શાસ્ત્રીય પ્રવાહ અને મનુસ્મૃતિના આધારે ચાર જ યુગો છે. એ યુગોના નામ છે- પહેલો સત્યયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપરયુગ અને ચોથો કળિયુગ. આ ચાર યુગો પછી એક ગુપ્તયુગ પણ આવે છે જેને અનંત યુગ અથવા આદ્ય સતયુગ કહેવામાં આવે છે અને તે સાબિત થયું છે. આનો પુરાવો મુખ્યત્વે પંચસખાઓ દ્વારા લખાયેલા ભવિષ્ય માલિકા ગ્રંથમાં ઉપલબ્ધ છે. જે આજે પણ લોકો નથી જાણતા. પરંતુ આ રહસ્યમય તત્વ સમગ્ર વિશ્વના માનવ સમાજના ઉદ્ધાર માટે અત્યંત જરૂરી છે.
શાસ્ત્રો અનુસાર, કળિયુગનો અંત આવી ગયો છે, પરંતુ તેનો પ્રભાવ હજી પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આ સમયે કળિયુગનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. તેથી જ કલિથી સમગ્ર વિશ્વનો માનવ સમાજ સંપૂર્ણ પીડિત છે. ખાસ કરીને દુનિયામાં એવું જોવા મળે છે કે ભાઈ-ભાઈ, પતિ-પત્ની, કુટુંબ-પરિવાર, ગામ-ગામ, રાજ્ય-રાજ્ય અને દેશ-દેશ વચ્ચે કલીએ પોતાના પ્રભાવથી અસમંજસ સર્જન કર્યો છે. આખી દુનિયા આજે કઈ ને કઈ પીડા સહન કરી રહી છે. રોગચાળા તથા મહામારીએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે. માનવ સમાજ માટે આજે દવાના ઉપયોગ વિના જીવવું મુશ્કેલ બની ગયું છે. આવનારા 8 વર્ષમાં સમગ્ર વિશ્વ અનેક ભયાનક આફતોનો સામનો કરવા જઈ રહ્યું છે.
- તૃતીય વિશ્વયુદ્ધ
- ખાદ્યાન્ન સંકટ
- પવન પ્રલય
- જળપ્રલય
- અગ્નિપ્રલય
- ભૂકંપ
- દુકાળ
- અજાણ્યા અસાધ્ય રોગો/રોગચાળો
અને આગળ વર્ષ “2025” માં જ્યારે શનિ મીન રાશિમાં સંક્રમણ કરશે, ત્યારે આ બધી આફતો તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. આવનારા સમયમાં તમામ વૈજ્ઞાનિક સાધનો, કોમ્પ્યુટર, સેટેલાઇટ વગેરે સ્થાવર (સ્થિર) થઇ જશે. ભવિષ્ય માલિકા તથા આવનારા સમય ની વિપદા જાણનાર દરેકના મનમાં પ્રશ્ન એ છે કે એ સમયે માનવ સમાજનું રક્ષણ કેવી રીતે થશે અને માણસનું ભવિષ્ય શું હશે? આ બધા પ્રશ્નોના જવાબ જે પુસ્તકમાં વર્ણવવામાં આવ્યા છે, તે અમૂલ્ય પુસ્તકનું નામ છે “ભવિષ્ય માલિકા”.
આ ભવિષ્ય માલિકા ગ્રંથના તમામ પુસ્તકો 600 વર્ષ પહેલા ઓડિશામાં જન્મેલા પંચસખાઓ દ્વારા ઓડિયા ભાષામાં લખવામાં આવ્યા છે. એટલા માટે આ ગુપ્ત પુસ્તક આજ સુધી લોકો સામે આવ્યું નથી. મહાપ્રભુ શ્રી જગન્નાથજીની અપાર કૃપાથી, અમારી યુટ્યુબ ચેનલ કલ્કી અવતાર દ્વારા વર્ષ 2018 થી હિન્દી ભાષામાં “ભવિષ્ય માલિકા”નો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં, ભગવાનની સૂચનાઓ પર ભવિષ્યના પુસ્તકને ઉપલબ્ધ કરાવવા માટે, અંગ્રેજી, હિન્દી જેવી ભાષાઓ માં આવૃત્તિ થઇ ચુકી છે તથા ગુજરાતી જેવી ભારતની અન્ય મુખ્ય ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યો છે.
જે લોકો આ પુસ્તકમાં વર્ણવેલ નીતિ અને નિયમોનું પાલન કરશે, તે જ લોકો કળિયુગથી સતયુગમાં પ્રવેશ કરી શકશે અને ત્યારે જ પંચસખાઓએ મહાપ્રભુની સૂચનાઓનું પાલન કરીને “ભવિષ્ય માલિકા” પુસ્તકની રચના કરી તે હેતુ સફળ થશે. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર માત્ર માલિકા ગ્રંથ દ્વારા થશે, બધા જ ભક્તોનો જમાવડો થશે અને અંતે સમગ્ર વિશ્વમાં એક જ સનાતન ધર્મ રહેશે. વિશ્વના તમામ ઋષિમુનિઓ, સંતો, જ્ઞાનીઓ અને ભક્તોના ઉત્કર્ષના હેતુથી અમે આ વેબસાઈટ દ્વારા ઉક્ત ભવિષ્ય માલિકા ગ્રંથને તમામ સનાતન ભક્તોને સમર્પિત કરીએ છીએ.
“જય જગન્નાથ”