મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“सियालदहरे पाती रेल पिन्धीन लोहार सरंखल
रहिची सही बंदी घरे मुक्ति लागिबे जग्य स्थले।
“સિયાલદહરે પાતી રેલ પિન્ધીન લોહાર સરંખલ
રહીચી સહી બંદી ઘરે મુક્તિ લાગિબે જગ્ય સ્થલે.”
અર્થ –
ભારત સાથે તેર મુસ્લિમ દેશોના યુદ્ધની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ રાજ્યના સિયાલદાહ ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. ત્યારે ભગવાન કલ્કિના સોળ મંડળોના તમામ આઠ હજાર ભક્તો મહાયજ્ઞમાં ભાગ લેશે અને યજ્ઞની પૂર્ણાહુતિ કરશે. તે જ સમયે એક અદ્ભુત ઘટના બનશે. સિયાલદાહમાં બ્રિટિશ શાસન દરમિયાન પિત્તળના રેલ એન્જિનને લોખંડની સાંકળ સાથે બાંધીને ત્યાંના સંગ્રહાલયમાં સાચવવામાં આવેલ છે. તે એન્જીન સાંકળ તોડીને જગન્નાથજીને, કોઈ ડ્રાઈવર વિના જગન્નાથ પુરી લઈ જવા માટે ભગવાન કલ્કિની ઈચ્છાથી સ્વયં ચાલવા લાગશે. સિયાલદહમાં જે મહાયજ્ઞની વિધિ થશે, એ જ યજ્ઞમાં તે પિત્તળના એન્જિનને મુક્ત કરવામાં આવશે.
મહાપુરુષ ફરી લખે છે…
“भक्तंकर कुरिबे कातर स्मरिबे कल्कि मनन्तर तेनुकर सेही समय समस्त भक्त।”
“ભક્તંકર કુરિબે કાતર સ્મરિબે કલ્કિ મનન્તર તેનુકર સેહી સમય સમસ્ત ભક્ત.”
અર્થ –
ત્યારે તમામ સોળ મંડળોના આઠ હજાર ભક્તો સિયાલદહના યજ્ઞ સ્થળ પર ભગવાન કલ્કિના નામના ભજન કીર્તન કરશે અને સંપૂર્ણ ભક્તિભાવથી ભગવાનને શરણે જશે.
સિયાલદહના યજ્ઞ સમયે, મહાપુરુષો શ્રીક્ષેત્ર પર યવનોના આક્રમણ વિશે લખે છે….
“बहिव तहि रक्त धारा खेत्रे कंपिबे चक्रधर,
संघार करता सदाशिव श्रीखेत्रे मिलिथिब आगो,
सेस्थाने तुम्भे गुप्तेथिब मोहि तेहि हेबि अविर्भाब,
एहि समय पाती रेल श्रीखेत्रे मिलिबे चंचल।”
“બહિવ તહિ રક્ત ધારા ખેત્રે કંપિબે ચક્રધર,
સંઘાર કરતા સદાશિવ શ્રીખેત્રે મિલિથિબ આગો,
સેસ્થાને તુમ્ભે ગુપ્તેથિબ મોહિ તેહિ હેબિ અવિર્ભાબ,
એહિ સમય પાતી રેલ શ્રીખેત્રે મિલિબે ચંચલ.”
અર્થ –
સિયાલદાહના મહાયજ્ઞ પછી શ્રીક્ષેત્ર (જગન્નાથ મંદિર) પર વિદેશી સેનાઓ દ્વારા હુમલો કરવામાં આવશે. શ્રીક્ષેત્રમાં ભયંકર રક્તપાત થશે. અસંખ્ય લોકો મૃત્યુ પામશે. જગન્નાથજીનું શ્રીક્ષેત્ર યુદ્ધના નાદથી કંપી ઉઠશે. તે જ સમયે ભગવાન શિવ અને માતા ભવાનીને જગન્નાથ પુરી મંદિર પર દુશ્મનો દ્વારા થયેલા હુમલાની જાણ થશે અને ધ્યાન માં બેઠેલા ઉમાપતિ મહાદેવ ના મનમાં એ વાત આવતા કે શ્રી જગન્નાથ ક્ષેત્રમાં કોઈ આફત આવી છે, ભગવાન ભોલેનાથ કૈલાસ છોડીને જગન્નાથ પુરી પહોંચશે.
તે જ સમયે ભગવાન કલ્કિનું પણ શ્રીક્ષેત્ર પર આગમન થશે. તે ભયંકર યુદ્ધ સમયે, જ્યારે યવન સેના મંદિરની અંદર પ્રવેશ કરશે, ત્યારે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ થશે. ભારતીય સેના અને યવન સેના વચ્ચે મહાયુદ્ધ થશે, ત્યારે જ ભગવાન કલ્કિ અને સદાશિવ આવશે અને જગન્નાથ મંદિર અને ઓડિશાની રક્ષા કરશે. તે જ સમયે તે એન્જિન તે લોખંડની સાંકળ તોડીને જગન્નાથજીને લાવવા માટે કોઈ ડ્રાઈવર વિના સિયાલદાહ છોડી જગન્નાથ પુરી માટે પ્રસ્થાન કરશે. સિયાલદાહથી જગન્નાથ પુરી સુધી કોઈ રેલ્વે લાઇન નહોતી, પરંતુ ભગવાન જગન્નાથની કૃપાથી છેલ્લા કેટલાક વર્ષોમાં સિયાલદહથી પુરી સુધી રેલ્વે લાઇન પણ બનાવવામાં આવી છે. તે બ્રાસ એન્જીન કોઈ પણ ડ્રાઈવર વગર ભગવાનની ઈચ્છાથી સિયાલદાહથી સીધું જ જગન્નાથ પુરી ઉભું રહેશે.
मंदिरे पसिबे झसाई पंडानकु हाणी देबे सेई।
મંદિરે પસિબે ઝસાઈ પંડાનકુ હાણી દેબે સેઈ.
અર્થ –
જ્યારે અસંખ્ય મુસ્લિમ સેના જગન્નાથ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે, ત્યારે જગન્નાથજીના સેવકો સાથે તેમનું યુદ્ધ થશે, ઘણા બધા લોકો માર્યા જશે. સાત દિવસ સુધી મુસ્લિમ દેશની સેના ત્યાં રહેશે અને સાત દિવસ પછી ભારતીય સેના મંદિરને યવનોના કબજામાંથી મુક્ત કરશે.
देउले नीति बंद हेबो बिमला आखि तराटीब।
દેઉલે નીતિ બંદ હેબો બિમલા આખિ તરાટીબ.
અર્થ –
ભગવાન જગન્નાથજી પુરીમાં સાઠિયેપોઠિ એટલે કે ભીની વાનગી ખાય છે. પુરી શ્રીક્ષેત્ર સિવાય તમામ મંદિરોમાં ભગવાનને સૂકું ભોજન મળે છે. તે જગન્નાથ પુરીમાં જ ભગવાનને સાઠિયેપોઠિ ભોજનનો ભોગ લગાડવામાં આવે છે.
ભવિષ્ય મલિકામાં વર્ણન છે કે જગન્નાથજી દરરોજ પ્રયાગમાં સ્નાન કરે છે. ભગવાન બદ્રીધામમાં પોતાને શણગારે છે. જગન્નાથ પુરીમાં પ્રસાદ લે છે અને તે પછી ભગવાન સમગ્ર બ્રહ્માંડની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ગુપ્ત સ્થાને જાય છે. તે પછી ભગવાન દ્વારકાધીશ જાય છે અને ત્યાં આરામ કરે છે. પછી રાત્રે ભગવાન વૃંદાવનમાં ગોપીઓ સાથે દરરોજ રાસલીલા કરે છે. આ જગતના ધણીની દિનચર્યા છે.
જ્યારે બ્રાસ એન્જિન જગન્નાથ પુરી પહોંચશે, ત્યારે ભગવાન જગન્નાથની નીતિ પૂજા બંધ થઈ જશે. પછી પુરીમાં માતા બિમલા (દુર્ગા) જે જગન્નાથ મંદિરની અંદર પ્રમુખ દેવતા છે. તેમની પૂજા પણ જગન્નાથજી સાથે સમાન રીતે કરવામાં આવે છે એ મા બિમલા પોતે શાંતિથી બધી ઘટનાઓ જોતી હશે અને તે સમજશે કે આ બધું ભગવાનના ધર્મની સંસ્થાપના હેઠળ થઈ રહ્યું છે. જગતપતિના ધર્મની સંસ્થાપનાનો આ સમય છે અને ભગવાન શ્રીક્ષેત્ર છોડીને છતિયા વટમાં જવાના છે.
“गरुड़ आदि बिराजेते चाहिँना थिबे आज्ञामात्रे,
दखिण द्वारे हनुवीर मोडुमथिब भुजतार,
बोधिबे तार चक्रधर मर्त्यबैकुंठ हुए सार।”
“ગરુડ઼ આદિ બિરાજેતે ચાહીંના થિબે આજ્ઞામાત્રે,
દખિણ દ્વારે હનુવીર મોડુમથિબ ભુજતાર,
બોધિબે તાર ચક્રધર મર્ત્યબૈકુંઠ હુએ સાર. “
અર્થ –
તે જ સમયે ભક્ત ગરુડ અને બધા વીર ભગવાનના આદેશની રાહ જોતા બેસી રહેશે અને ભગવાનનો આદેશ મળતાં જ તેઓ કેવી રીતે સમગ્ર યવન સેનાનો એક જ ક્ષણમાં નાશ કરી નાખીશું તે વિચારતા હશે. તેમની પાસે ક્ષમતા હશે પરંતુ તેઓ ભગવાનની પરવાનગી વિના કંઈ કરી શકશે નહીં અને ત્યારે જ હનુમાનજી (બેડી હનુમાન), જે મંદિરના દક્ષિણ દ્વાર પર હાજર છે તેઓ દક્ષિણ દ્વારથી પ્રગટ થઇ ભયાનક રૂપ ધારણ કરી જોરથી ગર્જના કરશે.
બધા વીર એકસાથે પ્રભુના આદેશની રાહ જોશે, ત્યારે મહાપ્રભુ જગન્નાથ કહેશે કે જુઓ, આ કળિયુગમાં હું અહીં દારુબ્રહ્મના અવતારમાં છું અને બુદ્ધના રૂપમાં પણ છું. તેથી જ હું અહીં બધું જોઈશ પણ કંઈ બોલીશ નહીં. કારણ કે આ મર્ત્ય વૈકુંઠ (નશ્વર સ્વર્ગ છે), મારે અહીં યુદ્ધ કરવું નથી. શરીરથી મેં કલ્કિ તરીકે જન્મ લીધો છે અને હવે ફક્ત કલ્કિ જ લડશે. તો રાહ જુઓ હનુમાન અને ગરુડ અને તમે બધા કેમકે આ યુદ્ધનું સ્થાન નથી.