શુક્રવાર, માર્ચ 29
Join our live Google meet satsang today.

વિશ્વ સનાતન ધર્મ

સનાતન ધર્મ બધા ધર્મોનો મૂળ છે તથા પ્રત્યેક ધર્મનું લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ જ છે.

અવતાર –

જ્યારે સંસારમાં પાપની વૃદ્ધિ થતી અને સનાતન ધર્મની હાનિ થાય છે ત્યારે પૃથ્વી પર ભગવાન નારાયણ અવતરિત થાય છે. ભગવાન દુષ્ટોને સંહારી સનાતન ધર્મનો પુનરુદ્ધાર કરે છે. ભગવાન જયારે પણ મનુષ્ય રૂપે જન્મ લે છે તો ફક્ત તેમના ભક્તો અને સાધકોના ઉદ્ધાર માટે જ. પ્રભુના અવતાર પછી નવા યુગનો આરંભ થાય છે. કલિયુગ પછી સત્યુગનો આરંભ થાય છે અને સાથે અનંત યુગ હોય છે. કલ્કિ ભગવાન એક હજાર આઠ વર્ષો સુધી ધરતી પર રાજ્ય કરશે. સમગ્ર વિશ્વનું એકત્રીકરણ થશે અને આપણું ભારતવર્ષ વિશ્વનું મુખ્યાલય હશે. સંપૂર્ણ પૃથ્વી પર રામરાજ્યની સ્થાપના થશે અને તમામ લોકો સનાતન ધર્મનું અનુસરણ કરશે.

પંડિત કાશીનાથ મિશ્રજી - પરિચય

ઓડીશા નિવાસી પંડિત શ્રી કાશીનાથ મિશ્રજી ભગવાન જગન્નાથના એકમેવ ભક્ત છે તથા ભગવાનની સેવામાં લાગેલા રહે છે. તેઓ માત્ર ભાગવત કથાવાચન કરતા નથી, પરંતુ પંચસખા દ્વારા લખાયેલી ભવિષ્ય માલિકા વિષે માર્ગદર્શન પણ કરે છે તથા ભક્તોને સાચી રાહ દેખાડે છે. તેઓ વેદો, પુરાણો તથા શાસ્ત્રોના મહાવિદ્વાન છે.

જીવન શૈલી –

શ્રી કાશીનાથ મિશ્રજી એ સનાતન ગ્રંથો પર શોધ કરીને વિશ્વવ્યાપી સનાતન ધર્મનો પ્રચાર કરી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ ને એક નવી દિશા આપી છે. તેમનું જીવનલક્ષ્ય વિશ્વના ભટકેલા લોકોને સનાતન ધર્મની ગુણવત્તા બતાવીને ભારતને વિશ્વગુરુની ઉપાધિ થી સજ્જ કરાવવાનું છે. તેઓ ભારતના વિવિધ ભાગોમાં જઈને લોકોને ભાગવતમાર્ગીય બનવાનું આહ્વાન કરે છે. આ કાર્યમાં લાગતા હરેક ખર્ચનો વહન તેઓ સ્વયં કરે છે. તેમની વાણીમાં આશ્ચર્યજનક આકર્ષણ તથા મૃદુલતા છે. ભાગવતના પ્રચાર માટે તેઓની વ્યક્તિગત કોઈ ફી નથી, તેઓ આ કાર્ય કોઈ આર્થિક ઉદ્દેશ્ય વીના મફત માં કરે છે.

શ્રી કાશીનાથ મિશ્રજી સોળમી સદીમાં પંચસખા દ્વારા લખાયેલી ‘ભવિષ્ય માલિકા’ વાંચતાં કહે છે કે કલિયુગનો અંત થઈ ગયો છે અને હવે અનંત યુગ (સ્વર્ણ યુગ)નો પ્રારંભ થશે. સાથે જ વિષ્ણુ ભગવાનનો અંતિમ અવતાર કલ્કિરૂપે ધરાવતરણ કરી ચુક્યો છે. પંડિતજી ના મતે, જ્યારે ધરામાં પાપ વધુ થાય છે ત્યારે ધરતી માતાના કષ્ટોને હટાવવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ગ્રહણ કરે છે. ભક્તમાત્ર ને તેમની વિનંતી છે કે સાત્વિક જીવન જીવી રહેલા પવિત્ર ભક્તો મહાન પ્રભુ ભગવાન કલ્કિની ધારાને અનુસરણ કરીને સમસ્ત વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપનામાં તેમનું અમુલ્ય યોગદાન આપે.

પંચસખા - પરિચય

પવિત્ર સ્થાન જગન્નાથ મંદિર ઓડીશા રાજ્યમાં સ્થિત છે. અહીં આદિકાલથી સંત પરંપરા ચાલી આવી રહી છે જેમાં પંદરમી-સોળમી સદીમાં પાંચ વૈષ્ણવ ભક્તો હતા, જેમણે ધાર્મિક આંદોલન શરૂ કર્યું હતું. આ લોકોએ અભણ લોકોને ધર્મનો મર્મ સમજાવવા માટે ઉડિયા ભાષામાં ધાર્મિક ગ્રંથોનો અનુવાદ કર્યો હતો. તેઓએ રામાયણ, ભાગવત અને વિષ્ણુ પુરાણ પ્રમુખપણે ભાષાંતરિત કર્યા હતા. પંચસખાઓએ સામાજિક અસમાનતાને દૂર કરી અને વ્યક્તિના કર્મની મહત્વતા જાતિ કે કુળથી વધુ છે એ સમજાવ્યું. અહી દર્શાવેલા પાંચ ભક્તોને “પંચસખા” કહેવામાં આવ્યા છે –

સંત અચ્યુતાનંદ દાસ

સંત બલરામ દાસ

સંત જશોવંત દાસ

સંત જગન્નાથ દાસ અને

સંત શિશુઅનંત દાસ.

પંચસખા તથા ભવિષ્ય માલિકા

જગન્નાથ પ્રદેશના મઠોમાં તામ્રપત્રો પર ભવિષ્ય માલિકા લખવામાં આવી હતી. આ પુસ્તકોમાં ભવિષ્યમાં થનાર ઘટનાઓની બહુ સટીક ભવિષ્યવાણીઓ છે જે વર્તમાન સમય માં મઠોના અધિકાર પ્રદેશમાં છે.

ભવિષ્ય માલિકા બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ ભક્ત ચૈતન્ય મહાપ્રભુના સમયમાં લખેલી હતી. સ્વામી અચ્યુતાનંદદાસજી એ તેમની યોગ સિદ્ધિના તપોબળ વડે ભવિષ્ય માલિકા અંતર્ગત ભવિષ્યમાં થનાર ઘટનાઓને નું તાદ્રશ વર્ણન લખ્યું હતું. તેમની ભવિષ્યવાણીઓમાંથી એક ગ્રંથમાં સંત અચ્યુતાનંદના સત્યુગ થી કલિયુગ સુધીના અનેક જન્મોનું વર્ણન છે. આ ભવિષ્યવાણીઓ ઓડીશા માં ખૂબ મહત્ત્વ ધરાવે છે.

આજે જે પ્રકારનું હવામાન, મહામારીઓ, ભૂકંપ, અકાળ, યુદ્ધ અને બીજી ઘટનાઓ થઈ રહી છે, તેની જાણકારી પાંચ સો વર્ષ પહેલાં સ્વામી અચ્યુતાનંદ દાસજી એ ભવિષ્ય માલીકામાં આપી હતી. પુર, યુદ્ધ, અકાળ, મહામારી, ભૂકંપ અને યુદ્ધ જેવી ઘટનાઓ મુખ્ય રૂપે આ ગ્રંથો માં દર્શાવાઈ છે – યુરોપના બધા દેશો નષ્ટ થશે અને અમેરિકા પાણીમાં ડૂબી જશે. અંતમાં, રશિયા શક્તિશાળી થશે, જેને સાથે લઈને કલ્કિ ભગવાન સંપૂર્ણ વિશ્વ પર શાસન કરશે.

બલરામજી ગરુડજીને કલિયુગ નું ભવિષ્ય વર્ણન કરતા કહે છે – “હે વીર, કલિયુગનો અંત આવે ત્યારે વિશ્વ ના ખૂણે ખૂણે યુદ્ધ થશે અને સાત દિવસ અંધકાર પડશે. તે સમયે સંસારમાં મોટો અનિષ્ટ થશે. એ વિપદા થી સંસારમાં કોઈ પણ બાકી નહીં રહે અને એક જ ઘર ના સભ્યો એકબીજા ની સંપત્તિ લૂટવા માટે પણ તૈયાર રહેશે. બધી જગ્યાઓ એ ખાલી પડેલા ઘરો જોવા મળશે (સન્નાટો ફેલાશે). દુર્ભાગ્ય અને વિવશતા દરેક ને ગ્રસી લેશે. અસુર પ્રકૃતિના લોકો ધનવાન બનશે અને દક્ષિણ સંપ્રદાયના લૂટેરા સ્વચ્છંદ સુયોગો પામીને લૂટ કરશે. શ્રી હરિનું ચરિત્ર અમૃત છે અને તેના પ્રભાવથી અંતમાં ભક્તો બચશે. આ ભવિષ્યવાણી અનુસાર આજ દક્ષિણ પશ્ચિમના દેશોમાં લૂટમાર છે અને અસુર પ્રકૃતિના લોકો સમાજમાં સામ્રાજ્ય બનાવી રહ્યા છે. તેથી લાગે છે કે દુનિયાનો અંત હવે બહુ દુર નથી.

વિશ્વભર માં રહેલા પ્રભુ ના ભક્તો

Share via