સનાતન ધર્મ બધા ધર્મોનો મૂળ છે તથા પ્રત્યેક ધર્મનું લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ જ છે.
અવતાર –
જ્યારે સંસારમાં પાપની વૃદ્ધિ થતી અને સનાતન ધર્મની હાનિ થાય છે ત્યારે પૃથ્વી પર ભગવાન નારાયણ અવતરિત થાય છે. ભગવાન દુષ્ટોને સંહારી સનાતન ધર્મનો પુનરુદ્ધાર કરે છે. ભગવાન જયારે પણ મનુષ્ય રૂપે જન્મ લે છે તો ફક્ત તેમના ભક્તો અને સાધકોના ઉદ્ધાર માટે જ. પ્રભુના અવતાર પછી નવા યુગનો આરંભ થાય છે. કલિયુગ પછી સત્યુગનો આરંભ થાય છે અને સાથે અનંત યુગ હોય છે. કલ્કિ ભગવાન એક હજાર આઠ વર્ષો સુધી ધરતી પર રાજ્ય કરશે. સમગ્ર વિશ્વનું એકત્રીકરણ થશે અને આપણું ભારતવર્ષ વિશ્વનું મુખ્યાલય હશે. સંપૂર્ણ પૃથ્વી પર રામરાજ્યની સ્થાપના થશે અને તમામ લોકો સનાતન ધર્મનું અનુસરણ કરશે.