Subscribe to Updates
Get the latest post updates on bhavish
Bhagwat Mahapuran Chapter 1-4
કવિ: Ashish Vyas
બ્રહ્માંડ તત્વના અનુસાર સંસારમાં ક્રમશઃ ચાર યુગોનો ભોગ થાય છે.. આ ચાર યુગો છે. સત્ય યુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગ. સત્ય યુગમાં ધર્મના ચાર પગ હોય છે. અને તેની આયુ છે ૪૦૦૦ દિવ્ય વર્ષ એટલે ૧૭,૬૮,૦૦૦ માનવ વર્ષ. આ યુગમાં જે ધર્મના ચાર પગ છે તે છે – સત્ય, સ્વચ્છતા, દયા અને ક્ષમા. પૂર્ણતા ધર્મના કારણે સત્ય યુગમાં બધા પ્રાણી આનંદમય જીવન જીવે છે. અને માનવ સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સ્થાયિત્વ પરિલક્ષિત હોય છે. સત્ય યુગ પછી ત્રેતા યુગનુ આગમન થાય છે. જેની આયુ ૩૦૦૦ દિવ્ય વર્ષ એટલે કે ૧૨૯૬૦૦૦ માનવ વર્ષની છે. આ યુગમાં ધર્મના ત્રણ પગ…
યુગ ચક્રના આધાર પર પહેલો સત્ય યુગ, બીજો ત્રેતા યુગ, ત્રીજો દ્વાપર યુગ અને અંતમાં કળિયુગનુ આગમન થાય છે. વર્તમાન સમયમાં કળિયુગની સંપૂર્ણ આયુ સમાપ્ત થઈ ગઈ છે અને યુગ સંધ્યા સમય ચાલી રહ્યો છે. કોઈ પણ યુગનો અંત અને એક નવા યુગનો પ્રારંભ સમયને યુગ સંધ્યા અથવા સંગમ યુગ કહેવાય છે. કળિયુગની આયુ મનુસ્મૃતિના આધાર પર ૪૩૨૦૦૦ વર્ષની મનાય છે. પરંતુ મનુષ્ય કૃત્ય ઘોર પાપ કર્મોને કારણ ૪૨૭૦૦૦ વર્ષો ક્ષય થઈ જશે અને માત્ર ૪૮૦૦ વર્ષ જ ભોગ થશે એવું વર્ણન મળે છે. મનુસ્મૃતિના અનુસાર નીચેના શ્લોક આનું પ્રમાણ આપે છે. चत्त्वार्य्जाहु सहस्राणि वर्षाणां तत्कृतम्युगम् तस्य तवच्छता संध्या संध्यां…
સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચારે યુગોમાં ભગવાનના પંચસખા આ ધરતી પણ જન્મ લે છે. યુગના અંતમાં ભગવાન વિષ્ણુના ધર્મ સંસ્થાપનના કામમાં, પંચસખા પોતાનો સહયોગ આપે છે. યુગ કર્મ પુરુ કર્યા પછી ભગવાન વિષ્ણુ ગોલોક વૈકુંઠ પ્રત્યાવર્તન (પાછા ચાલ્યા જાય છે) કરે છે, પંચસખાઓનો જન્મ ભગવાનના અંગથી થાય છે. દરેક યુગમાં ભિન્ન ભિન્ન રૂપમાં પંચસખા ધરા પર અવતીર્ણ થાય છે. ભવિષ્ય માલિકા ગ્રંથ અને પુરાણોમાં એ પ્રમાણ મળે છે કે, સત્ય યુગમાં આ પંચ સખાઓના નામ હતા – નારદ, માર્કંડ, ગાર્ગવ, સ્વયંભૂવ અને કૃપાજલ. સત્યયુગના અંતમાં પોતાના કાર્ય સમાપ્ત કરી આ પંચસખા પાછા ગોલોક – વૈકુંઠ ચાલ્યા ગયા હતા.…
કળિયુગને ચતુર્યુગ ગણનાના અનુસાર ૪૩૨૦૦૦ વર્ષ ભોગ થવો જોઇએ. પરંતુ મનુષ્યકૃત પાપ કર્મોના કારણે, યુગની આયુ ક્ષય થઈ જાય છે અને આ કળિયુગની આયુ ભવિષ્ય માલિકા ગ્રંથના અનુસાર જે ૩૫ પ્રકારના પાપોને કારણ ક્ષય થઈ છે તેનુ વર્ણન છે. ૧. પિતૃ હત્યા, ૨. માતૃ હત્યા, ૩. સ્ત્રી હત્યા, ૪. શિશુ હત્યા, ૫. ગૌ હત્યા, ૬. બ્રહ્મ હત્યા, ૭. ભ્રુણ હત્યા, ૮. માતૃહરણ, ૯. ભગીનીહરણ, ૧૦. કન્યાહરણ, ૧૧. ભાતૃવધુહરણ, ૧૨. સ્ત્રીહરણ, ૧૩. વિધવા સ્ત્રી હરણ, ૧૪. પારકી સ્ત્રી હરણ, ૧૫. ગર્ભવતીસ્ત્રીહરણ, ૧૬. કુમારી હરણ, ૧૭. પશુ હરણ, ૧૮. ભૂમિ હરણ, ૧૯. પારકુધન હરણ, ૨૦. મલેચ્છ વેશ ધારણ, ૨૧. અભક્ષ્યલક્ષણ ૨૨. અગમ્યમાં…
શ્રીમદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યુ છે કે, “यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥” અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે હું આવું છુ. જયારે જ્યારે અધર્મ વધે છે, ત્યારે ત્યારે સજ્જન લોકોની રક્ષા માટે અને દુષ્ટોના વિનાશ કરવા હું પ્રકટ થઉ છુ, હું અવતાર ધારણ કરુ છું ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગ યુગમાં માનવરૂપમાં જન્મ લઉ છું. ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના ગ્રંથ રામચરિત માનસમાં પણ કહ્યુ છે કે, “जब-जब होई धरम की हानी, बाढ़हि असुर अधम अभिमानी, तब-तब धरि प्रभु विविध शरीरा,…
૧. મહાત્મા પંચસખાઓએ ભવિષ્ય માલિકા ની રચના ભગવાન નિરાકાર જગન્નાથના નિર્દેશથી કરી હતી. ભવિષ્ય માલિકા માં મુખ્યત્વે કળિયુગના અંતના સંદર્ભમાં સામાજિક, ભૌતિક તથા ભૌગોલિક પરિવર્તન ના લક્ષણો નું વર્ણન કરાયેલું છે. શાસ્ત્રો માં શ્રી જગન્નાથજી ના મુખ્ય ક્ષેત્ર ને આદિ વૈકુંઠ (મર્ત્ય વૈકુંઠ) કેહવામાં આવ્યું છે. કળિયુગ ના ૫૦૦૦ વીતવા બાદ પંચસખાઓ એ ભક્તો ના મન માં થી સંશય દુર કરવા માટે સૂચવ્યું છે કે ભગવાન ની ઈચ્છા અનુસાર શ્રી જગન્નાથજી ના નીલાંચલ ક્ષેત્ર થી વિભિન્ન સંકેતો મળશે અને ભક્તો કળિયુગ ના એ સંકેતો નું અનુસરણ કરીને કળિયુગ નો અંત તથા ભગવાન કલ્કિ ના ધરાવતરણ ના વિષય માં જાણી શકશે.…
કળિયુગનો અંત થઈ ચુક્યો છે અને આ તથ્યને પ્રમાણ કરવા માટે મહાપુરુષ પંચસખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં સ્પષ્ટરૂપે ઘણા બધા લક્ષણો વર્ણિત કર્યા છે. (ક) માનવ સમાજમાં આવનાર પરિવર્તન માનવ સમાજમાં ઘણા બધા નારી અને પુરુષમાં વંધ્યત્વ નો દોષ દેખાશે જેના કારણે સંતાન ઉત્પન્ન નહી થાય. (આજ કાલ ચલણ બની ગયું છે કે લગ્ન કરી બન્ને પતિ – પત્નિ નોકરી કરી પૈસા કમાય અને સંતાન પૈદા ન કરે. કોણ જવાબદારી ઉપાડે, કમાઓ અને વાપરો.) નારી અને પુરુષના લિંગ પરિવર્તન સંભવ બનશે અને ઘણા બધા લોકો લિંગ પરિવર્તન કરાવશે. કામના, વાસના, સ્વાર્થ અને ધનની લાલચના લીધે, પુત્ર પોતાના માતા-પિતાની હત્યા કરશે સમાજમા…
સત્ય યુગમાં ભગવાન વિષ્ણુએ અવતાર લઈને સંસારમાં, સત્ય, શાંતિ,દયા, ક્ષમા અને મૈત્રીની સંસ્થાપના કરી. તે સમયે, બધા મનુષ્ય શાસ્ત્રોના જ્ઞાતા હતા. અને બધા વૈદિક પરંપરા અનુસાર જીવન વ્યતિત કરતા હતા. તે સમયે જ્ઞાનની દ્રષ્ટિથી ઋષિ – મુનિ અહંકારી અને અભિમાની થઈ ગયા હતા અને આ પાપને કારણ સત્યયુગનો અંત થયો. ત્રેતા યુગમા ભગવાન શ્રીરામે અવતાર લીધો અને ત્રેતા યુગમાં લોકોએ યજ્ઞ આદિ પુણ્ય કર્મના માધ્યમથી ભગવાન શ્રીરામના અંગ સંગનો લાભ મળ્યો અને ત્રેતા યુગના અંતમાં,તેમણે રાવણ જેવા મહાપાપીઓનો વિનાશ કર્યો અને અંતમાં ખંડ પ્રલય થયો. પુનઃ મનુષ્ય ત્રેતાથી દ્વાપર યુગમાં આવ્યા અને ગૌલોક ધામના ભકતોએ દ્વાપર યુગમાં જન્મ લીધો. તે…
મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ મહાભારત અને માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો – “अनुभवे ज्ञान प्रकाश होइबो अनुभव करमूढ़, भबिस्य बिचार तेणी की कहिबी ज्ञाने नाही थलकुल, लीला प्रकाश हेबह भक्तंक लीला भारी होइब लीला प्रकाश हेबो।“ “અનુભવે જ્ઞાન પ્રકાશ હોઈબો અનુભવ કરમૂઢ, ભવિષ્ય બિચાર તેણી કી કહિબી જ્ઞાને નાહી થલકુલ, લીલા પ્રકાશ હેબહ ભક્તન્ક લીલા ભારી હોઈબ લીલા પ્રકાશ હેબો.” અર્થ – કળિયુગના અંતમાં અનુભવથી જ જ્ઞાન પ્રકાશિત થશે. શ્રી ભગવાનને શોધ્યા પછી પણ ભક્તોને ભગવાન ની પ્રાપ્તિ નહિ થાય ત્યારે માત્ર અનુભવ અને નિઃસ્વાર્થ ભક્તિ જ ભગવાનને પામવાનો સરળ ઉપાય બની રહેશે. શ્રદ્ધા, વિશ્વાસ, અનુભવ…
ભગવાન વ્યાસ અને મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ મહાભારત અને માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો – ભગવાન વ્યાસજી દ્વારા મહાભારતના વનપર્વમાં ભગવાન કલ્કિના જન્મસ્થળ સંભલ નગરના વિષયમાં સંશોધન કરીને આ રીતે લખવામાં આવ્યું હતું… “कल्कि विष्णु यशा नाम द्विज काल प्रचोदित, उत्पत्तेसो महा बीरजो महा बुद्धि पराक्रम।” “કલ્કિ વિષ્ણુ યશા નામ દ્વિજ કાલ પ્રચોદિત, ઉત્પત્તેસો મહા બીરજો મહા બુદ્ધિ પરાક્રમ.” અર્થ – ભગવાન કલ્કિનો જન્મ ભગવાન વિષ્ણુ (વિષ્ણુ યશ) ના ગુણગાન કરનારા એક (દ્વિજ) બ્રાહ્મણના ઘરે થશે. ભગવાન કલ્કિ સૌથી પવિત્ર વિષ્ણુ અંશ વીર્યમાંથી જન્મ લેશે, અને તે મહાન બુદ્ધિ અને મહાન શક્તિ સાથે જન્મશે. આમ મહાપુરુષ…