બ્રહ્માંડ તત્વના અનુસાર સંસારમાં ક્રમશઃ ચાર યુગોનો ભોગ થાય છે.. આ ચાર યુગો છે. સત્ય યુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ અને કળિયુગ. સત્ય યુગમાં ધર્મના ચાર પગ હોય છે. અને તેની આયુ છે ૪૦૦૦ દિવ્ય વર્ષ એટલે ૧૭,૬૮,૦૦૦ માનવ વર્ષ. આ યુગમાં જે ધર્મના ચાર પગ છે તે છે – સત્ય, સ્વચ્છતા, દયા અને ક્ષમા. પૂર્ણતા ધર્મના કારણે સત્ય યુગમાં બધા પ્રાણી આનંદમય જીવન જીવે છે. અને માનવ સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સ્થાયિત્વ પરિલક્ષિત હોય છે.
સત્ય યુગ પછી ત્રેતા યુગનુ આગમન થાય છે. જેની આયુ ૩૦૦૦ દિવ્ય વર્ષ એટલે કે ૧૨૯૬૦૦૦ માનવ વર્ષની છે. આ યુગમાં ધર્મના ત્રણ પગ હોય છે અને એક પગ ક્ષય થાય છે. ધર્મના આ ત્રણ પગ છે -સત્ય, દયા અને ક્ષમા અને જે એક પગ સમાપ્ત થાય છે એ છે સ્વચ્છતા.
ત્રેતા યુગ બાદ દ્વાપર યુગનુ આગમન થાય છે જેની અવધિ ૨૦૦૦ દિવ્ય વર્ષ એટલે ૮૬૪૦૦૦ માનવ વર્ષની છે. આ યુગમાં ધર્મ માત્ર બે પગ ઉપર જ સ્થાયિત હોય છે. સત્ય અને ક્ષમા.
દ્વાપર યુગ બાદ કળિયુગ આવે છે. કળિયગુની આયુ ૧૦૦૦ દિવ્ય વર્ય એટલે ૪૩૨૦૦૦ માનવ વર્ષની છે. આ યુગમાં ધર્મનો માત્ર એક પગ શેષ રહે છે. – સત્ય. કળિયુગના અંતમાં ધર્મના એક પગનો પણ ક્ષય થઈ જાય છે.
આ ચાર યુગોની આયુ ઉપરાંત દરેક યુગની સંધ્યા અથવા સંધિ સમય પણ હોય છે. સત્ય યુગનો ૮૦૦ દિવ્ય વર્ષની સંધ્યા સમય છે. ત્રેતાની ૬૦૦ દિવ્ય વર્ષની, દ્વાપરની ૪૦૦ દિવ્ય વર્ષ અને કળિયુગની સંધ્યા સમય ૨૦૦ દિવ્ય વર્ષની છે. આ યુગોની અવધિ અને દરેક સંધ્યા ગણીને કુલ ૧૨૦૦૦ દિવ્ય વર્ષોની એક ચતુર્યુગી હોય છે.
વૈવસ્વત મનુજીની મનુસ્મૃતિ શાસ્ત્ર પ્રમાણે કળિયુગના અંત સમયમાં ધર્મ કેવળ દાનના માધ્યમથી પોતાની અંતિમ અવસ્થામાં ટકી રહેશે. પરંતુ મહાપુરુષ પંચસખાએ ભવિષ્ય માલિકામા કળિયુગની આયુ અને મનુમસ્મૃતિમાં કહેલ સમય અને સ્થિતિના વર્ણનમાં સંશોધન કરી, પ્રભુજીની આજ્ઞાથી આ યુગ વ્યવસ્થાનુ વિસ્તૃત ભવથી વર્ણન કર્યુ છે.
“धर्म चारिपाद निश्चय कटिब हरि आश्रा कर नर,
सुकर्म कुकर्म बिचारी पारिले पाद पद्मे स्थान पाई“
અર્થાત્
ભવિષ્ય માલિકામાં મહાપુરુષ અચ્યુતાનંદજી લખે છે કે કળિયુગ પૂર્ણ થવાના સમયે, ધર્મના ચારે પગ સમાપ્ત થઈ જતાની સાથે મોટી મોટી આપદાઓ, દુકાળ પૃથ્વી પર આવશે. મહાપુરુષ ઉક્ત સમયને સંગમ યુગ અથવા યુગ સંધ્યાના નામથી ઓળખાવે છે. તેમણે એ પણ ચેતવણી બધાને આપી છે કે હરિ નામ ગુણનુ ભજન કરી, માલિકા ગ્રંથનું અનુસરણ કરીને, વૈદિક ધારામાં ચાલતા મનુષ્ય સત્યયુગમાં જઈ શકે છે.
चत्त्वार्य्जाहु सहस्राणि वर्षाणां तत्कृतम्युगम्
तस्य तवच्छता संध्या संध्यां शश्च तथा विधः
મનસ્મૃતિ પ્રમાણે – ૪૦૦૦ વર્ષ પછી સત્ય યુગ આવે છે. આ ૪૦૦૦ વર્ષની પરમાયુ તથા તેની સંધ્યા અને સંધ્યાનો કાળ પરમાયુની એક દસમાંશ હોય છે.
અર્થાત્ –
કળિયુગની આયુ – ૪૦૦૦ વર્ષ.
કળિયુગ આરંભ અને દ્વાપર અંતમાં બે સંધ્યા – ૪૦૦ * ૨ = ૮૦૦ વર્ષ.
“चत्त्वार्य्जाद सहश्राणि चत्त्वार्य्जादश तानिचम्,
कलेर्ज्यदा गमिस्यंति तदापूर्वम्युगाश्रितम्।“
(निर्णयसिंधु)
નિર્ણય સીંધુના એક શ્લોકમાં સ્પષ્ટરૂપે એમ કહેવાયુ છે કે ૪૦૦૦ વર્ષ પછી સંધ્યા સમય ૪૦૦ વર્ષ પછી તેના પછીનો યુગ પ્રારંભના સંધ્યા સમયના ૪૦૦ વર્ષને મળાવી, કળિયુગનો કુળ ૪૮૦૦ વર્ષનો ભોગ સમય છે.
“अदाश्वत्वः सहश्राणि कलै चतुः शतानिचम्,
गते गिरि बरेहि श्री नाथ प्रादुर्भविष्यतिं।“
(गर्गसंहिता)
ગર્ગ સંહિતાના એક શ્લોક પ્રમાણે કળિયુગના ૪૦૦૦ વર્ષનો ભોગ થયા બાદ, તેની સંધ્યા સમયના ૪૦૦ વર્ષ પછી, ભગવાન મહાવિષ્ણુ (શ્રીનાથજી) ધરતી પર આવતાર લેશે અને પાપના ભારનુ નિવારણ કરશે.
ઉપર કહેલા શાસ્ત્ર મનુસ્મૃતિ, નિર્ણય સીંધુ અને ગર્ગ સંહિતામાં કહેલ ટિપ્પણિયોના અનુસાર કળિકાળના આયુ ૪૦૦૦ વર્ષની છે. તેનો એક દશમાંશ (૧/૧૦) સંધ્યા સમય ૪૦૦ વર્ષ છે. કળિયુગના પ્રારંભ પહેલા તેની સંધ્યાનો ૪૦૦ વર્ષનો ભોગ થશે અને કળિયુગના અંત પછી ૪૦૦ વર્ષની તેની સંધ્યા, અર્થાત ૪૦૦૦ + ૪૦૦ + ૪૦૦ = ૪૮૦૦ વર્ષનો માત્ર કળિયુગનો સંપૂર્ણ ભોગ સમય હશે.
મનુસ્મૃતિ, નિર્ણય સીંધુ અને ગર્ગ સંહિતા શાસ્ત્ર પ્રમાણે કળિયુગના ૪૮૦૦ વર્ષનો જ ભોગ થવો જોઇએ. પરંતુ આ બધા શાસ્ત્રોની રચનાના હજારો વર્ષ વીતી જવા પછી, આ કળિયુગના આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં મહાપુરુષ પંચસખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથની રચના કરી. અને નિરાકરજીના નિર્દેશ પર પંચસખાઓએ પોતાની માલિકા ગ્રંથમાં જૂના શાસ્ત્રોના વર્ણનને થોડુ સંશોધન કરી, ૪૮૦૦ વર્ષમાં ૨૦૦ વર્ષ જોડી, કળિયગુની આયુ ૫૦૦૦ વર્ષ ભોગ થવાનુ વર્ણન કર્યુ છે.
“चारि लक्ष जे बतिश सहस्त्र,
कलियुग र अटइ आयुष
पाप भारा रे कलि तुटिजिब,
पांच सस्र कलि भोग होइब।।“
(भक्तचेतावनी– अच्युतानंद)
મહાપુરુષ અચ્યુતાનંદજી, નિરાકરણજીની આજ્ઞાથી પોતાના ગ્રંથ ‘ભક્ત ચેતવણી ‘માં પ્રમાણ આપે છે કે કળિયુગનો સંપૂર્ણ ભોગ સમય ૪32000 માનવ વર્ષ છે. પરંતુ પાપના ભારથી યુગનો ક્ષય થઈ માત્ર ૫૦૦૦ માનવ વર્ષ ભોગ થશે.
“ठिकणा अमर पुर,
ठाकुर तहीं रु हेबे बाहार, रामचन्द्ररे,
ठारि पांच सहस्र कु धर, रामचन्द्ररे“
(भविष्यतचउतिसा, अच्युतानंद)
અચ્યુતાનંદજી પોતાના ગ્રંથ ભવિષ્યત ચઉતિસામાં પણ પ્રમાણ આપે છે કે કળિયુગનો માત્ર ૫૦૦૦ વર્ષ જ ભોગ થશે. તેમણે આ ગ્રંથમાં સ્પષ્ટપણે કહ્યુ છે કે, નિલાચલ ધામ આદિ વૈકુંઠ ધામ ક્ષી જગન્નાથપુરી ધામથી જ ભગવાન શ્રી જગન્નાથજી મનુષ્ય રૂપમાં કલ્કિ અવતાર ધારણ કરશે અને ત્યારે જ કળિયુગના ૫૦૦૦ વર્ષનો ભોગ થઈ ચુક્યો હશે. અર્થાત્ ૫૦૦૦ વર્ષો પછી જ્યારે કળિયુગ સમાપ્ત થશે ત્યારે મહાપ્રભુ જગન્નાથજી મનુષ્યરૂપમાં ધરતી પર અવતાર લેશે.
“ठिकणा अच्युत कले,
‘ठ‘ तिनी बामे पांच रखिले रामचन्द्र हे।
ठकि जिब मिन शनी भले रामचन्द्र हे।।“
(भविष्यतमालिका–अच्युतानंद)
પુનઃ મહાપુરુષ અચ્યુતાનંદજીએ પોતાના ગ્રંથ ‘ભવિષ્યત માલિકા’માં કહ્યુ છે કે, ઠ (ઉડિયા ભાષામાં ૦) ત્રણ વાર લખી તેની ડાબી બાજુ પાંચ (૫) લખવાથી જે સંખ્યા બનશે તેટલા વર્ષ (૫૦૦૦ વર્ષ) કળિયુગનો ભોગ થયા બાદ જ્યારે મીન રાશિમાં શનિ પ્રવેશ કરશે (વર્ષ ૨૦૨૫ સમજવુ) તે સમયે મનુષ્ય સમાજને ભયાનક વિપર્યય / આપદાનો સામનો કરવો પડશે. અને તે જ સમયે ભક્તો માલિકા ગ્રંથનુ અનુશરણ કરશે અને તે જ સમયે ભક્તો માલિકા ગ્રંથનુ અનુશરણ કરશે અને તે ગ્રંથને સમજી શકશે.
“एबे पांच ठिक कहिबा शुण,
बारंग बिचारे चित्त रे घेन।
पांच सहस्र जेतेबेले हेब,
संपूर्ण लीला प्रकाश होइब“
(महागुप्तपद्मकल्प– शिशुअनंतदास)
પંચસખાઓમાં અન્યતમ સખા મહાપુરુષ શ્રી શિશુ અનંતદાસજી મહારાજે પોતાના ગ્રંથ ‘મહાગુપ્ત પદ્મકલ્પ’ માં કળિકાળના વિષયમાં કહ્યુ છે કે, કળિયુગ ૫૦૦૦ વર્ષ પછી પુર્ણ થશે અને ત્યારે ભક્ત અને ભગવાનની લીલાનો પ્રકાશ થશે.
“बारंग बोलइ शुणिमा गोसाईं कुह भविष्य बिचार,
केतेबेले कल्कि अवतार हेबे शुणईं मुखु तुंम्भर।
शिशु बोलंति हे शुणिमा बारंग कलंकी स्वरूप होइ,
युग संधि पांच सहस्र बरष जेबे जिब भोग होइ।
जेसनेक निशि पाहिले प्रभात युग संधि एहा जांच,
सेमंत समये कलंकी स्वरूप हेबे प्रभु नारायण।
समक्षरा बता शुणि आदिकरि प्रमाण एहाकु कर,
सबु एक ठाबे मिशाइ कहिण करिबु पांच हजार।
एहि समय कु लये करिथिबु कहिलि हे बाबु तोते,
ठिकरे ए कथा देखाइ कहिलु रखिथिबु हृद गते“
(आगत भविष्यत– शिशु अनंत)
પુનઃ મહાપુરુષ શ્રી શિશુ અનંતજી મહારાજ પોતાના ગ્રંથ આગત ભવિષ્યત માં પોતાના શિષ્ય ભારંગના સવાલનો જવાબ આપતા કહે છે કે, કળિયુગની સંધ્યા સમયમાં અર્થાત્ સંગમ યુગમાં, ભગવાન નારાયણ કલ્કિ અવતાર ધારણ કરશે, અને તે સમયે જ કળિયુગના ૫૦૦૦ વર્ષ પુરા થઈ ગયા હશે.
“संबश्चर पांच सहस्र कलि होइब शेष,
सत्य युग आद्य होइब शुभ जोगे प्रकाश।
साधु संत माने बसिबे सभा आरंभ करि,
सेहि समस्त न्कु पुजिबे पटुआर आबोरि।
हरि शबद रे मातिबे हरि भकत माने,
हरष होइबे हृद रे दुःखी दरिद्र माने।
फिटिब प्रजा न्क कषण कष्ट होइब नाश,
क्षमे हाडि दास भणिले आगत जे भविष्य।
(कलि चउतिसा– हाडि दास)
પંચસખાઓના દેહાવસાન પછી, ઉડિયાના છતિયા મઠના મહંત તથા દિવ્ય દ્રષ્ટા મહાપુરુષ હાડિદાસજી મહારાજ જેમને મહાપુરુષ , અચ્યુતાનંદજીના નવમાં જન્મના હિસાબે માલિકા શાસ્ત્રમાં પ્રમાણિત કરાયા છે. તેમણે પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી પોતાના ગ્રંથ કળિ ચઉતિસામાં ભક્તોના કલ્યાણ હેતુ તથા માનવ સમાજને ચેતવણી આપતા કહ્યુ છે કે, ૫૦૦૦ વર્ષમાં કળિકાળ સમાપ્ત થશે અને તેના પછી સંધ્યાયુગ અર્થાત્ આદિ સત્યયુગનો પ્રકાશ થશે. તે સમયે ભગવાન શ્રીકલ્કિ ધરતી પર માનવરૂપમાં અવતાર લઈ સમાજના પાપ ભારનુ નિવારણ કરશે.
તે સમયે ભગવાન કલ્કિ સુધર્મા મહા મહાસંધનુ સંગઠન કરશે. સમગ્ર વિશ્વમાં સુધર્મા મહા મહા સંઘ અને સનાતન ધર્મનો પ્રચાર કરશે. સાધુ, સંત, ગામ, નગર, દેશ અને સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર થશે. સાધુ સંતોના કષ્ટ દૂર થશે અને દુષ્ટોના વિનાશ થશે.ભક્તો માટે શુભ અને આનંદના દિવસો આવશે.સમગ્ર વિશ્વમાં સત્યનુ વાતાવરણ પ્રતિબંબિત થશે.
“निश्व अवतार अबनी ऊपर निलांबर पुर बास,
निश्चे पांच सस्र भोग र अंतेण होइथिबु जे नरेश“
(उद्धव भक्ति प्रदायिनी– अच्युतानंद)
મહાપુરુષ અચ્યુતાનંદજી ઉદ્ધવ ભક્તિ પ્રદાયિની ગ્રંથમાં શ્રીકૃષ્ણ અને શ્રી ઉદ્વવજીના મધ્ય કેશોપકથન થાય છે અને તેમાં શ્રી ઉદ્વવજીના પ્રશ્નના ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, કળિયુગના ૫૦૦૦ વર્ષોનો ભોગ થયા બાદ મહાપ્રભુ તેમનું નીલાંચળ ધામ ત્યાગ કરી કલ્કિ અવતાર માટે મનુષ્ય શરીર ધારણ કરશે.
“चहटिब लीला तु चारि रे मिशा एक,
चढा तिनि शुन तहिं जेते हेला ठीक ।
चलिजिब घोर कलि दलिदेबे मिलि,
चेताइण गीते कहे अच्युत जे भालि ।“
(भविष्य तमालिका– अच्युतानंद)
મહાપુરુષ અચ્યુતાનંદજી પોતાના ગ્રંથ ભવિષ્ય માલિકામાં કહે છે કે, કળિયુગના ૫૦૦૦ વર્ષોનો ભોગ થાય બાદ ભગવાન કલ્કિ અવતાર લેશે અને લીલા કરશે.
“कलियुग पांच सहस्र गले,
बिष्णु जे जनम होइबे भले ।
पांच सहस्र रे नर शरीरे,
बिष्णु जे राजुति करिबे भले” –
(पट्टा मडाण– शिशु अनंत)
મહાપુરુષ શિશુ અનંતજી મહારાજ પોતાના માલિકા ગ્રંથ પટ્ટા મડાણમા પણ સમાન પ્રમાણ આપે છે કે, ૫૦૦૦ વર્ષ પછી કળિયુગ સમાપ્ત થવા પર ભગવાન વિષ્ણુ ચોસઠ કળામાં ધરતી પર માનવરૂપ ધારણ કરી, કલ્કિ અવતાર લેશે અને વિશ્વમાં રાજ કરશે.
“ए जे सुबाहु जुग कलि,
क्षिण आयुष महाबली ।
पापे सकल क्षय जिब,
पांच सहस्र भोग हेब।“
(आदि संहिता– अच्युतानंद)
મહાપુરુષ અચ્ચુતાનંદજીએ પોતાના અન્ય એક ગ્રંથ આદિ સંહિતામાં લખ્યુ છે કે, કળિયુગની આયુ ૪૩૨૦૦૦ વર્ષની છે પરંતુ મનુષ્ય કૃત પાપ કર્મોને કારણે સંપૂર્ણ યુગ આયુ ક્ષય થઈ ક્ષીણ થઈ જશે અને માત્ર ૫૦૦૦ વર્ષની થઈ જશે.
મહાપુરુષ અચ્યુતાનંદજી અને અન્ય બધા મહાપુરુષોના માલિકા ગ્રંથોથી એ જ પ્રમાણિત થાય છે કે, કળિયુગની કુળ પરમાયુ ૪૩૨૦૦૦ વર્ષ છે. પરંતુ મનુષ્યકૃત ઘોર પાપ કર્મોના કારણે યુગ ક્ષય થઈ જશે અને માત્ર ૫૦૦૦ વર્ષોનો ભોગ થશે તે સમયે સંગમ યુગમાં ભગવાન કલ્કિ અવતાર ધારણ કરી ધર્મ સંસ્થાપના કાર્ય કરશે.
“જય જગન્નાથ”