મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-  
शेष कली लीला भाव बुझाई  कहिबि तो आगे सर्व राम चन्द्ररे  कल्कि रूप होइबे माधव राम चन्द्र रे।"
શેષ કલી લીલા ભાવ બુઝાઈ કહિબી તો આગે સર્વ રામ ચંદ્રરે કલ્કિ રૂપ હોઈબે માધવ રામ ચંદ્ર રે.  

અર્થ – 

મહાપુરૂષ અચ્યુતાનંદ જી તેમના શિષ્ય રામદાસને કહી રહ્યા છે કે કળિયુગના અંતમાં જ્યારે ભગવાન કલ્કિ પુરુષ શરીરમાં અવતરશે, ત્યારે તેમનું નામ માધવ હશે. જે સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, જેનો પાર બ્રહ્મા પણ પામી નથી શક્યા, તેના વિશે જાણવું એટલું સરળ નથી. જેને એમની કૃપા પ્રાપ્ત થશે તે જ તેમને શોધી શકશે.

મહાપુરુષ આગળ માલિકા માં લખે છે-...

 
चोर प्राय आम्भे अबनि भ्रमिबु चेता कराईबा पाइं चाहीं जक-जक निंदुथिबे लोक एहि परा प्रभु सेहि।"
ચોર પ્રાય આંભે અબનિ ભ્રમિબુ ચેતા કરાઈબા પાઈ

ચાહી જક-જક નિંદુથિબે લોક એહિ પરા પ્રભુ સેહી.“

અર્થ – 

હું સંસારમાં આવીશ અને ચોરની જેમ આખી પૃથ્વી પર ફરતો રહીશ, જે રીતે દ્વાપર માં કર્યું હતું. પણ કળિયુગના પાપી લોકો મને જોઈને પણ શંકા કરશે, મને ઓળખશે નહીં, નિંદા પણ કરશે અને કહેશે, શું આ એ જ પ્રભુ છે?

મહાપુરુષ અચ્યુતાનંદજી ફરી એકવાર કલ્કિ અવતાર વિશે રીતે લખે છે...

 
रत्नवट चूड़ा भांगी हेब कुढ गुप्त खंडगिरि तिरे अनंत माधव उदय होइबे एकाम्र बन अंतरे।"

રત્નવટ ચૂડા ભાંગી હેબ કુઢ ગુપ્ત ખંડગિરિ તિરે,

અનંત માધવ ઉદય હોઈબે એકામ્ર બન અંતરે.

અર્થ – 

પારાદ્વીપ પાસે એક રત્નવટ છે, તે વટની ટોચ તૂટીને ખંડગિરિ પાસે પડી જશે, ત્યારે ભગવાન અનંત માધવજી "એકામ્ર બન" માં એટલે કે ભુવનેશ્વરમાં તેમની  લીલાનો વિસ્તાર કરી રહ્યા હશે.

મહાપુરુષ ફરીથી લખે છે...

लीला प्रकाशिब, लीलामयन्कर सत्य जे एकाम्र बन लीला करूथिबे अनंत माधव सर्वे आनंद होइण।"

લીલા પ્રકાશિબ, લીલામયન્કાર સત્ય જે એકામ્ર બન,

લીલા કરૂથિબે અનંત માધવ સર્વે આનંદ હોઈણ.

અર્થ – 

પ્રભુજી અનંત માધવનું નામ ધારણ કરીને તેઓ ભુવનેશ્વરમાં રહીને ધર્મ સ્થાપનાનું કાર્ય ચાલુ રાખશે. મહાપુરુષજીએ પ્રભુજીની જે વિગત લખી છે તેનું વર્ણન કરવું અઘરું છે, છતાં આપના જેવા સદાચારી સંતોને સત્ય જણાવવાનું અમારું કર્તવ્ય માનીને અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે, જેથી ગેરમાર્ગે દોરનારા લોકોથી સાવધાન રહી શકાય. કોઈ વ્યક્તિ ગમે તેટલી વાર બોલે, સત્ય ક્યારેય જૂઠું બનતું નથી. તેવી જ રીતે, આપણે આપણી આસ્થાને વળગી રહેવાની છે અને ભગવાન કલ્કિ રામજી ના સંપૂર્ણ સંહારમાં થનારી ભયંકર વિનાશક લીલાથી બચવાનો પ્રયાસ કરવાનો છે.

आउ बेसी बेल नहीं लो बउल, निकटे होइब देखा पंचसखा माने कहि जाइछन्ति पूराणे होइची लेखा।"

આઉ બેસી બેલ નહીં લો બઉલ, નિકટે હોઈબ દેખા,

પંચસખા માને કહિ જાઇછન્તી પૂરાણે હોઇચી લેખા.“

અર્થ – 

પંચ સખાઓએ કહ્યું છે અને માલિકામાં લખેલું છે, હવે બહુ સમય બચ્યો નથી, પ્રભુજી ના કલ્કિ રૂપ ધારણ કરીને મ્લેચ્છો નો  નાશ કરવામાં અને ભક્તોને નિર્ભયતા પ્રદાન કરવામાં. જેઓ જાણ્યા-સમજ્યા વગર પ્રભુજીનો અનાદર કરી રહ્યા છે, તેમને આપણે એટલું જ કહીશું જે મહાપુરુષે લખ્યું હતું....

 
टाण पण करि रहिथीबे जेउण जन टलमल सेहु होइबे कलंकी निकटेण।"

ટાણ પણ કરિ રહિથીબે જેઉણ જન

ટલમલ સેહુ હોઈબે કલંકી નિકટેણ.“

અર્થ – 

મતલબ, જેઓ પ્રભુજીના અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને અભિમાન, અહંકાર કે કોઈ અંગત દુશ્મનાવટના કારણે ભક્તોની નિંદા કરી રહ્યા છે. તેણે પ્રભુ સમક્ષ જવાબદાયી રહેવું પડશે. તેઓ પ્રભુ સમક્ષ પકડાશે. એ લોકોનું જોર નહિ ચાલે. પ્રભુજી તેમના વિશે વિચાર કરશે.

 

જય જગન્નાથ