મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
“मर मर कही सर बीमरिबे अच्युतारह किस गला।
चेतुआ पुरुषा चेतारे विहारे विहंता पुरुषा मला ।।”
“મર મર કહી સર બીમરીબે અચ્યુતારહ કિસ ગલા.
ચેતુઆ પુરૂષા ચેતારે વિહારે વિહંતા પુરુષા મલા.”
અર્થાત-
કળિયુગ ના અંતિમ સમય માં મનુષ્ય સમાજ માં દંભ, ગર્વ તથા અહંકાર ચરમ સીમા પર હશે. પોતાના પદ, પ્રતિષ્ઠા અને સંપતિ ના મદ માં મનુષ્યો હું, મારું, તું, તારું, મારી સંપતિ, મારા પૈસા, મારું ઘર, મારી ક્ષમતા, મારો અધિકાર, મારો પરિવાર, મારા બાળકો, મેં બધું કર્યું, આ તો મારું છે, હું જ બધું છું આવા મનોવિચારો વાળા હશે અને ધર્મ, પવિત્રતા, સતર્કતા અને માલિકા ની ઉપેક્ષા કરશે.
ફક્ત જે શ્રી ભગવાન ના ભક્તગણ હશે જે ગોપી, કપિ, તપી હશે જેમણે સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ માં પ્રભુ ની સાથે ધર્મ સંસ્થાપના માં ભાગ ભજવ્યો હશે એ ભક્તો જ માલિકા ના ગૂઢ રહસ્યો ને સમજી શકશે અને એવા ભક્તો ની સંખ્યા બહુ સીમિત હશે.
મોટા ભાગના લોકો અહંકારવશ ધર્મ, નીતિ, શાસ્ત્ર તથા વેદ માર્ગ ને ભૂલી જશે. એ લોકો સાચા જ્ઞાની હશે જે આધ્યાત્મિક જ્ઞાન ના જ્ઞાતા હશે. જ્ઞાન નો અર્થ જ્ઞાન અને વિજ્ઞાન થી નથી તથા કળિયુગ ની શાળાઓ માં ભણાવવામાં આવેલું જ્ઞાન તથા એનાથી અર્જિત કરેલી ખ્યાતી નથી. એવા લોકો ને આધ્યાત્મિક જ્ઞાની ન કહી શકાય. ફક્ત એ લોકો જે ભાગવત ચેતના, ભક્તિ તથા ભગવાન પર આશ્રિત રહીને નિરંતર ભક્તિ ધારા માં રહે છે એ જ લોકો જ્ઞાની છે. જે લોકો ભવિષ્ય માલિકા ની ચેતવણી ને સમજી ને અનંત યુગ માટે કાર્યરત હશે તે લોકો જ આગામી યુગ એટલે કે સત્યયુગ ના બીજ બનશે અને એ યુગ માં જવાના અધિકારી હશે.
“જય જગન્નાથ”